Wednesday, January 21, 2026

નવા વાડજના ગોપી ઉદ્યોગ ચવાણા કેન્દ્ર સહિત 12 એકમ સીલ માર્યા, AMCના આરોગ્ય વિભાગનો સપાટો

spot_img
Share

અમદાવાદ : AMCના આરોગ્ય વિભાગના અધિકારીઓએ અમદાવાદમાં આવેલી ખાણી-પીણીના એકમો પર દરોડા પાડ્યા હતા. જે એકમો લાયસન્સ વગર અથવા તેઓ રજિસ્ટ્રેશન કર્યા વગર ધંધો કરતા હોય તેવા એકમોને સીલ કરવામાં આવ્યા હતા. AMCના હેલ્થ વિભાગનાં ડેઝિગ્નેટેડ ઓફિસર ભાવિન જોષીના માર્ગદર્શન હેઠળ શહેરના અલગ-અલગ ઝોનના વોર્ડ વિસ્તારમાં ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે ખાદ્ય ધંધાકીય એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.

AMC ની ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમ દ્વારા અમદાવાદના ઠક્કરનગરના દેવર્સ ફુડ્સ, શક્તિ ધ સેન્ડવીચ લાયસન્સ વગર ધંધો કરતું હોવાનું સામે આવતાં સીલ કરવામાં આવ્યું હતું. આ સિવાય ઈન્દ્રપુરી વોર્ડમાં શક્તિ પરોઠા હાઉસ, સેટેલાઈટમાં જય આશાપુરા ટી એન્ડ ફાસ્ટ ફૂડને સીલ કરવામાં આવ્યું છે. ત્યારબાદ નવરંગપુરાનું સ્વામિનારાયણ ડાયનિંગ હોલ, નવરંગપુરાનું ચાઈ-સુટ્ટા બાર, નવરંગપુરાના ડી મિસ્ટીરિયલ કિચન, નારણપુરાની લક્ષ્મી પાણીપુરી, દરિયાપુરની મારુતિનંદનને સીલ મારવામાં આવ્યું છે.

આ ઉપરાંત જોધપુર સ્વીટ એન્ડ નમકીન, નવા વાડજ વિસ્તારનું ગોપી ઉદ્યોગ ચવાણા કેન્દ્ર, શાહપુર વોર્ડમાં સદાબહાર નમકીન હાઉસ, આસ્ટોડિયા દરવાજા પાસે આસ્ટોડિયા અડદની જલેબી-દાળવડાં, નારણપુરાના સરદાર પટેલ શોપિંગ સેન્ટર પર યાર મેરા કુલ્લડને સિલ કરવામાં આવ્યું છે.આ તમામ પાસે લાયસન્સ નહોતું અથવા તેઓ રજિસ્ટ્રર કર્યા વગર ધંધો કરતા હોવાથી સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક સ્થળ પર હાઈજેનિક કન્ડિશન સારી ન હોવી અને વીતી ગયેલી તારીખનો માલ રાખતા હોવાનું પણ સામે આવ્યું છે.

આ ઉપરાંત અલગ અલગ વોર્ડમાં બરફ, ગોલા, શેરડીનો રસ, મેંગો મિલ્ક શેક, પાણીપુરી વાળી જગ્યાઓ, હોટલ અને રેસ્ટોરન્ટનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન લાયસન્સ વગર અથવા રજિસ્ટ્રેશન કર્યા વગર ધંધા કરતા એકમો સીલ કરીને અથવા બંધ કરવા સુધીના કડક પગલાં ભરવામાં આવ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...