Wednesday, September 17, 2025

અમદાવાદમાં AMTSનો બસ ડ્રાઈવર મોબાઈલ પર વાત કરતા બસ હંકારી રહ્યો છે, અકસ્માત સર્જાશે તો કોણ જવાબદાર?

Share

Share

અમદાવાદ : અમદાવાદમાં AMTS ના બસ ડ્રાઈવર કેટલા બેદરકાર બની ગયા છે તેનું એક તાજુ ઉદાહરણ સામે આવ્યું છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા એક બસ ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલ ફોનથી વાત કરતો નજરે ચઢી રહ્યો છે. બસ ડ્રાઈવર પૂરપાટ ઝડપે એક હાથે બસ ચલાવી રહ્યો છે અને એક હાથે ફોન પર વાત કરી રહ્યો છે. બસમાં બેઠેલા જાગ્રત નાગરિકે આ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by mirchinews (@mirchinews)

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં AMTS બસ ડ્રાઈવર પોતાની બસ પૂરઝડપે હાઇવે ઉપર ચલાવી રહ્યો છે. એક હાથે બસ ચલાવે છે અને બીજા હાથે મોબાઈલ પર વાત કરી રહ્યો છે. બસમાં ડ્રાઇવર સીટની પાછળ જ બેઠેલા જાગ્રત નાગરિકે આ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 143 રૂટ નંબરની કુબડથલ ગામથી સારંગપુરની બસ હોવાનું જાણવા મળ્યું છે. બસમાં બેઠેલા લોકોના જીવને આ રીતે બસના ડ્રાઇવરે જોખમમાં મૂક્યો હોવાની માહિતી AMTSના સત્તાધીશો સુધી પહોંચી છે.

AMTS બસના ડ્રાઈવરો દ્વારા હવે અવારનવાર બસમાં બેસતા લોકોના જીવને જોખમમાં મૂકવાના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે. બસના ડ્રાઇવરો દ્વારા ચાલુ ફરજ દરમિયાન દારૂ પીને બસ ચલાવવામાં આવે છે તો ક્યારેક મોબાઈલ પર વાત કરતા એક હાથે જ બસ ચલાવતા હોય છે. બેફામ ડ્રાઇવિંગ કરે છે તો ક્યારેક ચાલુ બસે તેઓ ફોન પર વાત કરતા હોય છે અને ધ્યાન નથી હોતું ત્યારે અકસ્માત સર્જાવાના કિસ્સાઓ વધી જતા હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...