Wednesday, January 14, 2026

અમદાવાદમાં AMTSનો બસ ડ્રાઈવર મોબાઈલ પર વાત કરતા બસ હંકારી રહ્યો છે, અકસ્માત સર્જાશે તો કોણ જવાબદાર?

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં AMTS ના બસ ડ્રાઈવર કેટલા બેદરકાર બની ગયા છે તેનું એક તાજુ ઉદાહરણ સામે આવ્યું છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા એક બસ ડ્રાઈવર ચાલુ બસે મોબાઈલ ફોનથી વાત કરતો નજરે ચઢી રહ્યો છે. બસ ડ્રાઈવર પૂરપાટ ઝડપે એક હાથે બસ ચલાવી રહ્યો છે અને એક હાથે ફોન પર વાત કરી રહ્યો છે. બસમાં બેઠેલા જાગ્રત નાગરિકે આ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by mirchinews (@mirchinews)

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં AMTS બસ ડ્રાઈવર પોતાની બસ પૂરઝડપે હાઇવે ઉપર ચલાવી રહ્યો છે. એક હાથે બસ ચલાવે છે અને બીજા હાથે મોબાઈલ પર વાત કરી રહ્યો છે. બસમાં ડ્રાઇવર સીટની પાછળ જ બેઠેલા જાગ્રત નાગરિકે આ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ 143 રૂટ નંબરની કુબડથલ ગામથી સારંગપુરની બસ હોવાનું જાણવા મળ્યું છે. બસમાં બેઠેલા લોકોના જીવને આ રીતે બસના ડ્રાઇવરે જોખમમાં મૂક્યો હોવાની માહિતી AMTSના સત્તાધીશો સુધી પહોંચી છે.

AMTS બસના ડ્રાઈવરો દ્વારા હવે અવારનવાર બસમાં બેસતા લોકોના જીવને જોખમમાં મૂકવાના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે. બસના ડ્રાઇવરો દ્વારા ચાલુ ફરજ દરમિયાન દારૂ પીને બસ ચલાવવામાં આવે છે તો ક્યારેક મોબાઈલ પર વાત કરતા એક હાથે જ બસ ચલાવતા હોય છે. બેફામ ડ્રાઇવિંગ કરે છે તો ક્યારેક ચાલુ બસે તેઓ ફોન પર વાત કરતા હોય છે અને ધ્યાન નથી હોતું ત્યારે અકસ્માત સર્જાવાના કિસ્સાઓ વધી જતા હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...