Saturday, March 7, 2026

છેલ્લા બોલે ગુજરાતને 5 વિકેટે હરાવી CSKએ પાંચમી વખત જીતી IPL ટ્રોફી

spot_img
Share

અમદાવાદ : IPL 2023ની ફાઇનલમાં મહેન્દ્ર સિંહ ધોનીની CSKએ રોમાંચક મેચમાં છેલ્લા બોલે GT ને પાંચ વિકેટે પરાજય આપી પાંચમી વખત IPL ટ્રોફી જીતી છે. આ સાથે મહેન્દ્ર સિંહ ધોનીની સેના પાંચમી વખત IPLની ટ્રોફી જીતવામાં સફળ રહી છે. ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 214 રન ફટકાર્યા હતા. જ્યારે CSKની ઈનિંગ શરૂ થઈ તો ત્રણ બોલ બાદ વરસાદ આવ્યો હતો. ત્યારબાદ CSKને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં CSKની ટીમે 15 ઓવરમાં 171 રન બનાવી પાંચમી વખત IPL ટ્રોફી પોતાના નામે કરી હતી.

સોમવારે રાત્રે ફરી એક વાર વરસાદ પડતાં IPLની ફાઇનલ મેચ થોભાવવી પડી હતી. નરેન્દ્ર મોડી સ્ટેડિયમ વિસ્તારમાં પણ ભારે વરસાદ શરુ થતાં મેદાનને કવરથી ઢાંકવામાં આવ્યું હતું. જો કે વરસાદ રોકાતા અને મેદાન સુકાઇ જતાં રાત્રે 12.10 કલાકે ફરી મેચ શરુ થઇ હતી. CSKને 15 ઓવરમાં 171 રનનું લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું. CSKના બેટ્સમેનોએ શરુઆતમાં ફટકાબાજી શરુ કરી હતી. જો કે તબક્કાવાર વિકેટો પડવા લાંગી હતી. કપ્તાન ધોની પણ ફાઇલ મેચમાં ચાલ્યા ન હતા. મોહિત શર્માની બોલિંગમાં તે કેચ આઉટ થઇ ગયા હતા.

એક સમયે એવું લાગતું હતું કે CSK મેચ જીતી શકે છે પણ ત્યારબાદ વિકેટો પડતાં ગુજરાત ટાઇટનનું પલડું ભારે થઇ ગયું હતું. મોહિત શર્માએ ઉપરા ઉપરી 2 વિકેટો ઝડપી હતી. આખરી ઓવરોમાં મોહિત શર્માએ સુંદર બોલિંગ કરી હતી. મોહિત શર્માના યોર્કરના કારણે બેટ્સમેનો પર અંકુશ આવતાં છેલ્લે મેચ રોમાંચક અને દિલધડક બની રહી હતી.

CSKને છેલ્લા બે બોલમાં 10 રનની જરૂર હતી. રવીન્દ્ર જાડેજાએ પાંચમા બોલ પર છગ્ગો અને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને CSKને પાંચમી વખત IPL ચેમ્પિયન બનાવ્યું. આ સાથે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધુ IPL ટ્રોફી જીતવાના મામલે રોહિતની બરાબરી કરી લીધી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...