Thursday, March 5, 2026

શનિવારે મોડી રાત્રે જમાલપુરમાં જૂથ અથડામણ, એક વાહનમાં આગચંપી અને પથ્થરમારો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કે જ્યાં હાલમાં જ રથયાત્રામાં કોમી એક્તાના દર્શન થયા હતા. ત્યાં જ શનિવારે મોડી રાત્રે બે જુથના લોકો વચ્ચે તંગદીલી સર્જાઈ હોવાની વિગતો મળી રહી છે. અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે બે ટોળા વચ્ચે પથ્થરમારો અને આગચંપી થતા અફરાતફરીનો માહોલ બન્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ જમાલપુર ચાર રસ્તા પાસે શનિવારે મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થતાં નાસભાગ મચી ગઈ હતી. બંને જૂથ વચ્ચેના ઝઘડામાં સામસામે પથ્થરમારો થયો હતો અને એક જૂથના વાહનમાં આગચંપી કરવામાં આવતાં નાસભાગ મચી ગઈ હતી.જમાલપુરની ગઢાની ચાલીમાં રહેતા વ્યંડળને ત્યાં તેના પ્રેમીની અવરજવર વધતા લોકોએ વિરોધ કર્યો હતો, જેથી બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી, જેમાં એક જૂથે વાહનમાં આગચંપી કરતા માહોલમાં તંગદિલી સર્જાઈ હતી અને બંને જૂથે સામસામે પથ્થરમારો શરૂ કરી દેતાં નાસભાગ મચી ગઈ હતી.

ઘટના અંગે જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો જમાલપુર ચાર રસ્તા ખાતે આવી ગયો હતો અને પથ્થરમારો કરી રહેલા લોકોને કાબૂમાં કરી પકડવાનું શરૂ કર્યું હતું. બીજી તરફ ફાયરબ્રિગેડે વાહનમાં લાગેલી આગ ઓલવવાનું શરૂ કરી દીધું હતું. જોકે તે વખતે પણ કેટલાક લોકો હાથમાં પાઇપો લઈ વાતાવરણ ડોહળાવી રહ્યા હતા.

પોલીસ સૂત્રોનાના જણાવ્યા અનુસાર, બે જૂથ વચ્ચે અગાઉ પણ બોલાચાલી થઈ હતી. જોકે શનિવારે એક યુવક બાઇક લઈ ગઢાની ચાલીમાં રહેતા વ્યંડળને મળવા આવતાં મામલો ગરમાયો હતો, જેને કારણે બોલાચાલી થતાં બે જૂથ ઉગ્ર બન્યા હતા અને જોત જોતામાં પથ્થમારો થયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...