Thursday, January 15, 2026

સિંધુ ભવન રોડ પર સ્ટંટ કરનારને પોલીસે ‘કાર મેરે બાપ કી હૈ, રોડ નહીં’નું બોર્ડ પકડાવી ઊઠકબેઠક કરાવી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રાત્રે યુવાનો માટે મોજશોખ કરવાનું સ્થળ બની ગયેલા સિંધુભવન રોડ પર અનેક વખત નબીરાઓ પોતાના બાપના પૈસે તાઇફા કરવા નીકળી પડે છે અને લોકોના જીવ પણ જોખમમાં મૂકે છે. આવી જ એક ઘટના તાજેતરમાં પોલીસ સમક્ષ આવતાં તેમણે નબીરાઓને સબક શિખવાડવા માટે અને કાયદાનું ભાન કરાવવા માટે એક અનોખી જ રીત અપનાવી છે. આ નબીરાઓને એક બોર્ડ પકડાવીને ઊઠકબેઠક કરાવી સમજાવ્યું હતું કે આ રોડ તેમની માલિકીનો નથી.

પ્રાપ્ત વિગતો મુજબ ગત ફેબ્રુઆરીમાં સ્ટંટનો જે વીડિયો વાયરલ થયો હતો. જેને લઈ પોલીસે કાર્યવાહી તો કરી પરંતુ આ ઘટનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી લાંબા સમયથી ફરાર હતો. આરોપીએ પોલીસ પકડથી દૂર રહેતા હાશકારો અનુભવ્યો હશે તેટલામાં જ પોલીસ તેના પર ત્રાટકી અને આરોપીની 4 મહિના બાદ ધરપકડ કરવામાં આવી.સ્ટંટ કરનાર આરોપી પકડાયા બાદ પોલીસે મુખ્ય આરોપી જાવેદ ખાનને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

ચાર કાર રોડ પર લઈ જઈ સ્ટંટ કરવામાં આવ્યો હતો. જે તમામ આરોપી ઝડપાયા બાદ મુખ્ય આરોપી પણ પોલીસની પકડમાં આવી ગયો છે. ઘટના સ્થળ પર આરોપીને લઈ જઈ પોલીસે આ આરોપીને ઉઠક બેઠક કરાવી અને માફી મંગાવી હતી. જોકે આરોપીને ગાડીની આગળ ઊભો રાખી બેનર પણ પકડાવવામાં આવ્યું અને તેમાં લખ્યું હતું, ‘ ગાડી મેરે બાપ કી હે પર રોડ નહીં’

પોલીસે તેને સાનમાં સમજાવ્યું હતું કે રોડ પોતાની માલિકીનો નથી અને લોકોના જીવ જોખમમાં મૂકવાનો તે લોકોને કોઈ જ હક નથી. હાલ આ ટપોરીને પોલીસે સબક શીખવાડી દીધો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...