Saturday, March 7, 2026

સિંધુ ભવન રોડ પર સ્ટંટ કરનારને પોલીસે ‘કાર મેરે બાપ કી હૈ, રોડ નહીં’નું બોર્ડ પકડાવી ઊઠકબેઠક કરાવી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રાત્રે યુવાનો માટે મોજશોખ કરવાનું સ્થળ બની ગયેલા સિંધુભવન રોડ પર અનેક વખત નબીરાઓ પોતાના બાપના પૈસે તાઇફા કરવા નીકળી પડે છે અને લોકોના જીવ પણ જોખમમાં મૂકે છે. આવી જ એક ઘટના તાજેતરમાં પોલીસ સમક્ષ આવતાં તેમણે નબીરાઓને સબક શિખવાડવા માટે અને કાયદાનું ભાન કરાવવા માટે એક અનોખી જ રીત અપનાવી છે. આ નબીરાઓને એક બોર્ડ પકડાવીને ઊઠકબેઠક કરાવી સમજાવ્યું હતું કે આ રોડ તેમની માલિકીનો નથી.

પ્રાપ્ત વિગતો મુજબ ગત ફેબ્રુઆરીમાં સ્ટંટનો જે વીડિયો વાયરલ થયો હતો. જેને લઈ પોલીસે કાર્યવાહી તો કરી પરંતુ આ ઘટનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી લાંબા સમયથી ફરાર હતો. આરોપીએ પોલીસ પકડથી દૂર રહેતા હાશકારો અનુભવ્યો હશે તેટલામાં જ પોલીસ તેના પર ત્રાટકી અને આરોપીની 4 મહિના બાદ ધરપકડ કરવામાં આવી.સ્ટંટ કરનાર આરોપી પકડાયા બાદ પોલીસે મુખ્ય આરોપી જાવેદ ખાનને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

ચાર કાર રોડ પર લઈ જઈ સ્ટંટ કરવામાં આવ્યો હતો. જે તમામ આરોપી ઝડપાયા બાદ મુખ્ય આરોપી પણ પોલીસની પકડમાં આવી ગયો છે. ઘટના સ્થળ પર આરોપીને લઈ જઈ પોલીસે આ આરોપીને ઉઠક બેઠક કરાવી અને માફી મંગાવી હતી. જોકે આરોપીને ગાડીની આગળ ઊભો રાખી બેનર પણ પકડાવવામાં આવ્યું અને તેમાં લખ્યું હતું, ‘ ગાડી મેરે બાપ કી હે પર રોડ નહીં’

પોલીસે તેને સાનમાં સમજાવ્યું હતું કે રોડ પોતાની માલિકીનો નથી અને લોકોના જીવ જોખમમાં મૂકવાનો તે લોકોને કોઈ જ હક નથી. હાલ આ ટપોરીને પોલીસે સબક શીખવાડી દીધો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...