Thursday, March 5, 2026

અમદાવાદના આ પોલીસ સ્ટેશનના PSI 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

spot_img
Share

અમદાવાદ : શહેરના આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI નરેશદાન ઉમેદસિંહ ટાપરિયાને ACBએ 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. PSI ટાપરિયાએ એક મહિલાના પતિને માર ન મારવા અને PASA હેઠળ કાર્યવાહી ન કરવા માટે 50 હજારની લાંચ માંગી હતી. આ મહિલાએ ACBને જાણ કરતા ACBએ PSI ટાપરિયાને 50 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના પોષ વિસ્તાર એવા આનંદનગર પોલીસ સ્ટેશન હેઠળ આવેલ જોધપુર ગામ ચોકીમાં PSI નરેશદાન ટાપરિયાએ એક મહિલાના પતિ વિરુદ્ધ દાખલ થયેલા ગુનામાં 151 હેઠળ કાર્યવાહી કરી જામીન લેવડાવી માર નહિ મારવા અને પાસા નહિ કરવા 50 હજાર રૂપિયાની લાંચ માંગી હતી.આરોપીની પત્ની પાસે લાંચની માંગણી કરી હતી જે લાંચ આરોપીની પત્ની આપવા ઈચ્છતી નહોતી, જેથી ACB નો સંપર્ક કર્યો હતો.

ACB દ્વારા PSI ને રંગે હાથે પકડવા લાંચ આપવાનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.આરોપીની પત્નીએ 50 હજાર રૂપિયાની લાંચની રકમ લઈને જોધપુર ગામ ચોકી પહોંચી હતી.જોધપુર ગામ ચોકીમાં જ PSI નરેશદાન લાંચ લેતા ACB એ ઝડપી લીધો હતો. ACB એ સમગ્ર મામલે PSI નરેશદાનની અટકાયત કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...