Wednesday, March 11, 2026

હાઉસિંગ રિડેવલપમેન્ટ મામલે મોટા સમાચાર, નવા વાડજની વધુ બે હાઉસીંગ સોસાયટીઓ રિડેવલપમેન્ટ માર્ગે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં વર્ષો જૂની અનેક હાઉસીંગ સોસાયટીઓ અને ફ્લેટ જર્જરિત થઈ ગયા હોવાના કારણે તેના રિડેવલપમેન્ટ કરવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે.ત્યારે શહેરના નવા વાડજમાં વધુ બે હાઉસીંગ સોસાયટીઓમાં રિડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ થઇ છે, આ પહેલા નવા વાડજની એક માત્ર હાઉસીંગ સોસાયટી ઉત્સવ એપાર્ટમેન્ટમાં રીડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજમાં આવેલ નંદનવન એપાર્ટમેન્ટ અને વિશ્રામ પાર્ક ફ્લેટ રિડેવલપમેન્ટની પ્રક્રિયા શરૂ થઇ છે.ગત રવિવારે નંદનવન એપાર્ટમેન્ટમાં યોજાયેલ રીડેવલપમેન્ટ મામલે યોજાયેલ રહીશો સાથેની બેઠકમાં રીડેવલપમેન્ટનો નિર્ણય સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આગામી દિવસોમાં સંમતિની પ્રક્રિયા શરૂ કરાશે, એવું નંદનવન એપાર્મેન્ટના પ્રમુખ વિનોદભાઈ ગઢવીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત નંદનવન એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ વિશ્રામ પાર્કમાં પણ અગાઉના રવિવારે યોજાયેલ બેઠકમાં રીડેવલપમેન્ટ જોડાવવું એવો નિર્ણય લેવાયો હતો, જો કે વિશ્રામ પાર્કમાં 90 ટકા સંમતિ હોવાનું પ્રમુખ નિતેશભાઈ શાહે જણાવ્યું હતું. તમને જણાવી દઈએ કે હાઉસીંગ બોર્ડ દ્વારા વિશ્રામ પાર્કનું ટેન્ડર 2020 બહાર પાડી બિલ્ડરની નિમણુંક કરવામાં આવી હતી. હવે વાતચીત આખરી તબક્કામાં હોઈ આગામી સમયમાં બિલ્ડર સાથે એમઓયુ થવાની શક્યતા છે.

તમને જણાવી દઈએ કે નવા વાડજ, નારણપુરા અને સોલા વિસ્તારમાં 90 થી વધુ હાઉસીંગ સોસાયટીઓ આવેલ છે જેમાં વર્ષો જૂની મોટાભાગની હાઉસીંગ સોસાયટીઓ જર્જરિત હાલતમાં છે. ગુજરાતમાં જર્જરિત હાલતમાં મુકાયેલાં હાઉસીંગ મકાનોના માલિકોને નવાં મકાનો મળે એવા હેતુસર ગુજરાત સરકાર અને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા 2016માં રિડેવલપમેન્ટ સ્કીમ જાહેર કરાઈ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...