Tuesday, September 16, 2025

અમદાવાદના આ વિસ્તારમાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર PCBના દરોડા, 19 જુગારીઓ સહીત 46 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Share

Share

અમદાવાદ : જન્માષ્ટમી નજીક આવતાં શ્રાવણીયા જુગારીયાઓ ખુલ્લેઆમ જુગાર રમતા ડરતા નથી. આવા જુગારીઓને પોલીસનો ખોફ પણ નથી. અમદાવાદના સૌથી હાઈ પ્રોફાઈલ ગણાતા એસજી હાઈવે પર થલતેજ ચાર રસ્તા નજીક જુગારનો અડ્ડો ઝડપાયો છે. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સરહદ વિસ્તારના ન્યૂયોર્ક ટાવરમાં હાઈપ્રોફાઈલ જુગારનો અડ્ડો ઝડપાયો છે. PCBએ દરોડો પાડીને 19 આરોપીઓને ઝડપી લઈ 46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં એસજી હાઈવે પર ન્યુયોર્ક ટાવરમાં ચાલતા જુગારધામ પર PCB એ દરોડા પાડી જુગાર રમી રહેલ 19 જુગારીયાઓ સહિત સાણંદ APMC ચેરમેનને પણ જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જુગારીયાઓને જુગાર રમવા માટે ન્યૂયોર્ક ટાવરમાં 9 માં માળે ઓફિસ ભાડે રાખી હતી. આ જુગારધામ ધર્મેન્દ્ર ઉર્ફે ધમો પટેલ ચલાવતો હોવાનું પોલીસ દ્વારા જણાવ્યું હતું. જુગારીયાઓ પૈસા ગણવા માટે મશીન પણ રાખતા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ PCB શાખાનાં પોલીસ ઈન્સ્પેક્ટર એમ.સી. ચૌધરીને બાતમી મળી હતી કે, થલતેજ પાસે આવેલ ન્યૂયોર્ક ટાવરની અંદર 9 માં માળે બહારથી ખેલીઓ બોલીવી જુગાર રમી રમાતો હોવાની બાતમીનાં આધારે નવમાં માળે જઈ તપાસ કરતા ધર્મેન્દ્ર પટેલ જે પોતાની ઓફીસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરતા 19 જુગારીયાઓ મળી તેમજ રોકડ રકમ, પૈસા ગણવાનું મશીન તેમજ ગાડીઓ જપ્ત કરી તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા જુગારીયાઓ
1.ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ઉંઝા રાયચંદભાઈ પટેલ (રહે. ઉંઝા)
2. મયુર ઉર્ફે મેહુલ સુરેશભાઈ ઠક્કર (રહે. ઈન્દ્રપ્રસ્થ-8, થલતેજ, અમદાવાદ)
3. કાળુજુ શકરાજી ડાભી (રહે. નિધરાડ, તા.સાણંદ, જી, અમદાવાદ)
4. જયેન્દ્રસિંહ ઉર્ફે મુકેશ લખુભા સિસોદિયા રહે. આશા સોસાયટી, સાણંદ
5. મનીષ ગોવિંદભાઈ પટેલ રહે. સ્ટલીંગ સીટી, બોપલ, અમદાવાદ
6. ડેવીસકુમાર સુરેશભાઈ પટેલ રહે. ઉંઝા
7. ઘેલુભા મુકેશસિંહ જુવાનસિંહ ઝાલા રહે. વાલકેશ્વર, સાણંદ
8. અમીરાભાઈ શંકરભાઈ જોષી રહે. ચન્દ્રનગર, ઉંઝા
9.ધર્મેન્દ્રકુમાર ધીરજભાઈ પટેલ રહે. તીર્થધામ, ઉંઝા
10.રાજેશકુમાર જેઠાભાઈ પટેલ રહે. ટુન્ડાવ, ઉંઝા
11. ખેંગારભાઈ મનજીભાઈ સોલંકી રહે. વિશાલ રેસીડન્સી, અમદાવાદ,
12.દિપકકુમાર મનસુખભાઈ ઠક્કર રહે. પોપ્યુલર ડોમેન, બોડકદેવ, અમદાવાદ
13.ધર્મેશ કાળીદાસ પટેલ રહે. એસ.જી.હાઈવે, અમદાવાદ
14.ભુપતભાઈ સોમાભાઈ ચૌહાણ રહે. વાઠવાડી, તા. મહેમદાવાદ
15. તેજાભાઈ કરશનભાઈ તુરી રહે. પંચાસર, તા. શંખેશ્વર
16. સજ્જનસિંગ અર્જુનસિંગ રાજપૂત રહે. રબારીવાસ, મેમનગર, અમદાવાદ
17. મોહનભાઈ નવલભાઈ કલાલ રહે. પ્રજાપતી વાસ, આંબલી, અમદાવાદ
18.દેવીલાલ ભીમજીભાઈ પ્રજાપતિ રહે. ઉપરગામ, રાજસ્થાન
19. ગંગારામ મોગજી પટેલ રહે. નૌલી, જી. ઉદયપુર

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...