Tuesday, February 24, 2026

અમદાવાદમાં વધુ એક ટ્યૂશન કલાસના શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવવા કર્યો પ્રયાસ, લંપટ શિક્ષક સામે FIR

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી એકવાર શિક્ષકની ગરિમાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતી સગીરાને તેના ટયુશન કલાસીસના સંચાલકે એકલતાનો લાભ લઈ છેડછાડ કરી હતી એટલુ જ નહીં પોતાની કારમાં સગીરાને બેસાડી લો ગાર્ડન બાજુ લઈ ગયો હતો જયાં સગીરાનો ભાઈ આવી જતા સગીરા અને તેના ભાઈને માર માર જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે સગીરાની ફરિયાદ આધારે ઇસનપુર પોલીસે કલાસીસ સંચાલક વિરુદ્ધ પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતી સગીરા તેના ઘર નજીક આવેલા ખાનગી ટ્યુશન ક્લાસિસમાં ટ્યુશન લેવા માટે જતી હતી. આ ક્લાસિસના સંચાલક યુવકે શરૂઆતમાં સગીરાને વાતોમાં ફસાવવાનું ચાલું કર્યું હતું. ગત ઓગસ્ટ માસમાં ટ્યુશન કલાસ પૂરા થઈ ગયા હોવા છતાં બહાનું કાઢીને સગીરાને રોકી રાખી હતી અને ત્યારબાદ રૂમ બંધ કરી સગીરાની સાથે છેડછાડ કરી હતી. તેમજ કપડાં કાઢીને સગીરાની સાથે બળજબરીપૂર્વક શરીરસબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સગીરાએ વિરોધ કરતા તેને છોડી દીધી હતી. આ ઘટના બાદ સગીરા સમસમી ગઈ હતી અને કોઈને વાત કરી નહોતી. જો કે આરોપી ટ્યુશન ક્લાસિસ સંચાલકે ત્યાંથી અટકવાના બદલે સગીરાને ફરી તાજેતરમાં તેના કલાસના એક રૂમમાં પકડીને ફરીથી શરીરસબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટના બાદ સગીરાએ કલાસમાં જવાનું બંધ કર્યુ હોવા છતાં આરોપીએ તેને મળવા માટે દબાણ કર્યું હતું અને ગત શનિવારે વહેલી સવારે સગીરાને બળજબરીપૂર્વક તેના ઘરેથી બહાર આવવાનું કહીને કારમાં બેસાડીને લો ગાર્ડન વિસ્તારમાં લઈ ગયો હતો. આ તરફ સગીરાના ભાઈને તેની બહેનને કારમાં આરોપી લઈ ગયો હોવાની જાણ થતા તેણે કારનો પીછો કર્યો હતો અને લો ગાર્ડન પાસે તેને રોકી લીધો હતો. આ સમયે કલાસીસ સંચાલકે સગીરાને તેમજ તેના ભાઈને માર મારી ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અંતે સગીરાએ આ મામલે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં આરોપી સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ અગાઉ થોડા સમય પહેલા દાણીલીમડા વિસ્તારમાં રહેતી એક સગીરાને પણ આ જ રીતે ખાનગી ટ્યૂશન સંચાલકે પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. આ ઘટનામાં પણ આરોપીએ સગીરાને ધમકી આપી હતી અને તેની સ્કૂલમાં જઈ બળજબરીથી પોતાની બાઈક પર બેસાડવાનો પ્રયાસ કરતા લોકોએ તેને પકડીને સ્કૂલના પ્રિન્સીપાલને જાણ કરતા સગીરા સાથે દુષ્કર્મનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.આ ઉપરાંત અમદાવાદના ચાંદખેડામાં વિદ્યાર્થિની સાથે અડપલા કરનાર નરાધમ શિક્ષકની ધરપકડ કરાઈ છે. ચાંદખેડા વિસ્તારમાં સોના ગ્રુપ ટ્યુશન ચલાવતા શિક્ષક પ્રકાશ સોલંકીએ ગુરુ શબ્દને લાંચન લગાવે તેવું કૃત્ય કર્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...