Tuesday, January 13, 2026

અમદાવાદમાં વધુ એક ટ્યૂશન કલાસના શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને હવસનો શિકાર બનાવવા કર્યો પ્રયાસ, લંપટ શિક્ષક સામે FIR

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં ફરી એકવાર શિક્ષકની ગરિમાને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતી સગીરાને તેના ટયુશન કલાસીસના સંચાલકે એકલતાનો લાભ લઈ છેડછાડ કરી હતી એટલુ જ નહીં પોતાની કારમાં સગીરાને બેસાડી લો ગાર્ડન બાજુ લઈ ગયો હતો જયાં સગીરાનો ભાઈ આવી જતા સગીરા અને તેના ભાઈને માર માર જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે સગીરાની ફરિયાદ આધારે ઇસનપુર પોલીસે કલાસીસ સંચાલક વિરુદ્ધ પોકસો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતી સગીરા તેના ઘર નજીક આવેલા ખાનગી ટ્યુશન ક્લાસિસમાં ટ્યુશન લેવા માટે જતી હતી. આ ક્લાસિસના સંચાલક યુવકે શરૂઆતમાં સગીરાને વાતોમાં ફસાવવાનું ચાલું કર્યું હતું. ગત ઓગસ્ટ માસમાં ટ્યુશન કલાસ પૂરા થઈ ગયા હોવા છતાં બહાનું કાઢીને સગીરાને રોકી રાખી હતી અને ત્યારબાદ રૂમ બંધ કરી સગીરાની સાથે છેડછાડ કરી હતી. તેમજ કપડાં કાઢીને સગીરાની સાથે બળજબરીપૂર્વક શરીરસબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સગીરાએ વિરોધ કરતા તેને છોડી દીધી હતી. આ ઘટના બાદ સગીરા સમસમી ગઈ હતી અને કોઈને વાત કરી નહોતી. જો કે આરોપી ટ્યુશન ક્લાસિસ સંચાલકે ત્યાંથી અટકવાના બદલે સગીરાને ફરી તાજેતરમાં તેના કલાસના એક રૂમમાં પકડીને ફરીથી શરીરસબંધ બાંધવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટના બાદ સગીરાએ કલાસમાં જવાનું બંધ કર્યુ હોવા છતાં આરોપીએ તેને મળવા માટે દબાણ કર્યું હતું અને ગત શનિવારે વહેલી સવારે સગીરાને બળજબરીપૂર્વક તેના ઘરેથી બહાર આવવાનું કહીને કારમાં બેસાડીને લો ગાર્ડન વિસ્તારમાં લઈ ગયો હતો. આ તરફ સગીરાના ભાઈને તેની બહેનને કારમાં આરોપી લઈ ગયો હોવાની જાણ થતા તેણે કારનો પીછો કર્યો હતો અને લો ગાર્ડન પાસે તેને રોકી લીધો હતો. આ સમયે કલાસીસ સંચાલકે સગીરાને તેમજ તેના ભાઈને માર મારી ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અંતે સગીરાએ આ મામલે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં આરોપી સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ અગાઉ થોડા સમય પહેલા દાણીલીમડા વિસ્તારમાં રહેતી એક સગીરાને પણ આ જ રીતે ખાનગી ટ્યૂશન સંચાલકે પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. આ ઘટનામાં પણ આરોપીએ સગીરાને ધમકી આપી હતી અને તેની સ્કૂલમાં જઈ બળજબરીથી પોતાની બાઈક પર બેસાડવાનો પ્રયાસ કરતા લોકોએ તેને પકડીને સ્કૂલના પ્રિન્સીપાલને જાણ કરતા સગીરા સાથે દુષ્કર્મનો મામલો પ્રકાશમાં આવ્યો હતો.આ ઉપરાંત અમદાવાદના ચાંદખેડામાં વિદ્યાર્થિની સાથે અડપલા કરનાર નરાધમ શિક્ષકની ધરપકડ કરાઈ છે. ચાંદખેડા વિસ્તારમાં સોના ગ્રુપ ટ્યુશન ચલાવતા શિક્ષક પ્રકાશ સોલંકીએ ગુરુ શબ્દને લાંચન લગાવે તેવું કૃત્ય કર્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...