Wednesday, March 11, 2026

અમદાવાદમાં ફરી AMTS બસ યમદૂત બની, બ્રેક ફેલ થતા ત્રણ વાહનોને લીધા અડફેટે, 1 મહિલાનું મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં યમદૂતની જેમ ચાલતી અને અમદાવાદીઓની જીવાદોરી સમાન AMTS બસની અડફેટે વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. શહેરના જુહાપુરા વિસ્તારમાં AMTS બસની અડફેટે મહિલાનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં અવાર નવાર AMTS બસથી અકસ્માતની ઘટનાઓ વધી રહી હોય તેવુ જણાઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મંગળવારે બપોરના 4.45 વાગ્યાના સુમારે જુહાપુરા ચાર રસ્તાથી સરખેજ સર્કેલ તરફ જતા અંબર ટાવર ત્રણ રસ્તા પાસે જાહેર રોડ ઉપર એક AMTS બસની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ હતી. જેના પગલે આ બસે ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં અજાણ્યા વાહન સાથે અકસ્માતમાં એક મહિલાને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના પગલે તેમને સારવાર અર્થે પહેલા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ વધુ સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

નોંધનીય છે કે, AMCના ડમ્પરો, ડોર ટુ ડોર કચરો લેતા વાહનો અને AMTS બસોના ડ્રાઈવરો બેફામ પણે ડ્રાઈવિંગ કરતાં હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાના સવાલો ચર્ચામાં છે. નરોડામા AMTS બસના ડ્રાઈવરે એક રાહદારી આધેડને ટક્કર મારતાં આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...