Sunday, March 1, 2026

હાઉસીંગ સોસાયટીઓના રિડેવલમેન્ટમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ સૌથી મોટો વિલન…!!!

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં આશરે 100 થી વધુ હાઉસીંગની સોસાયટીઓ આવેલ છે, જેમાં અત્યાર સુધી આંગળીના વેઢે ગણી શકાય એટલી બે-ત્રણ સોસાયટીઓ રિડેવલપમેન્ટ પ્રોજેકટમાં જોડાઈ શકી છે.અને અન્ય બે ચાર સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં તાજેતરમાં વધુ બે ચાર સોસાયટીઓમાં ટેન્ડરની પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં અનેક સમસ્યાઓ અને પ્રશ્નો રિડેવલપમેન્ટ પ્રક્રિયામાં બાધારૂપ બની રહી છે, જેથી બે-ચાર મુદ્દે હાઉસીંગ રિડેવલપમેન્ટ માટે હાઉસીંગ બોર્ડે કે સરકારે ફરીથી વિચારવું પડશે.

આપણે અગાઉ પણ રિડેવલપમેન્ટ પ્રક્રિયામાં બાધારૂપ પ્રશ્નોમાં દસ્તાવેજનો મુદ્દો અને વધારાના બાંધકામના મુદ્દાની વાત કરી હતી. આજે એ જ મુદ્દા વિશે વધુ વિગતવાર વાત કરીશું. રિડેવલપમેન્ટમાં સૌથી બાધારૂપ પ્રશ્નોમાં હાઉસીંગમાં વધારાના બાંધકામનો હોવાનું જાણવા મળ્યું છે. નારણપુરા, સોલા અને નવા વાડજ સહિતની હાઉસીંગની સોસાયટીઓમાં રહીશોએ વધારાના બાંધકામ કરી દીધા છે.જેમાં કેટલાંક લોકોએ અન્ય કરતાં અનેકગણા મોટા તોતીંગ બાંધકામ તાણી બાંધ્યા છે, એમાંય ખાસ કરીને રેસીડન્ટ વિસ્તારમાં અનેક રહીશોએ કોમર્શિયલ બાંધકામો તાણી બાંધ્યા છે, અને આ લોકો રિડેવલમેન્ટનો બાંયો ચડાવી વિરોધ કરી રહ્યા છે.

મોટાભાગની હાઉસીંગની સોસાયટીઓમાં રેસીડન્ટ વિસ્તાર હોય છે કયાંક હાઉસીંગ દ્વારા કોમર્શિયલ પણ બનાવાયા છે પરંતુ સૌથી અવરોધ રૂપ એ લોકો બનતા હોય છે કે જે રેસીડન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બનાવી બેઠા છે, અને જે મુળ કોમર્શિયલ ધારકો છે એ પણ અનેકગણું અને તોતીંગ બાંધકામ તાણી બેઠા છે.આવા લોકો રિડેવલમેન્ટમાં વિલન બની પોતાના અલગ અડ્ડા જમાવી બેઠા છે જેના કારણે જે તે સોસાયટીઓમાં રેસીડન્ટમાં લોકો તૈયાર હોવા છતાં રિડેવલમેન્ટની પ્રક્રિયા ખોરંભાય છે.જેથી આવા વધારાના રેસીડન્ટમાં કોમર્શિયલ અને કોમર્શિયલમાં અનેકગણું તોતીંગ તાણી બેઠા છે એવા લોકો કાયદાનો દંડો વિઝાવવો જોઈએ, જેથી રિડેવલમેન્ટની પ્રક્રિયા ઝડપી બનશે.

હવે તમને જણાવી દઈએ કે સરકારની રિડેવલમેન્ટ પોલીસીમાં રેસીડન્ટમાં 40 ટકા અને કોમર્શિયલમાં 25 ટકા વધુ મોટા બાંધકામ આપવાની જોગવાઈ છતાં અનેકગણા બાંધકામ તાણી બેઠા હોવાને કારણે આવા દસ-પંદર લોકો માટે સોસાયટીના બહુમત સભ્યોને હેરાન થવાનો વારો આવે છે.

હાઉસીંગ બોર્ડ દ્વારા ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ વિરુદ્ધ કાયદાનો દંડા વિઝાવવો જોઈએ

અમદાવાદ : મોટાભાગની હાઉસીંગની સોસાયટીઓમાં રેસીડન્ટ અને કોમર્શિયલમાં વધારાના બાંધકામ અને એમાંય ખાસ કરીને રેસીડન્ટમાં કોમર્શિયલ અને કોમર્શિયલનું અનેક ગણું કોમર્શિયલ તાણી બેઠા છે એવા લોકો વિરુદ્ધ હાઉસીંગ બોર્ડ દ્વારા કાયદાનો દંડા વિઝાવવો જોઈએ.જેથી રિડેવલમેન્ટની પ્રક્રિયા ઝડપી બની શકશે.

એક આગેવાનના મત મુજબ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા જયારે હાઉસીંગ સોસાયટીની સંમતિ સ્વીકારાય અથવા ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ કરાય અથવા તો બિલ્ડર અને એસોસિયેશન વચ્ચે એમઓયુ થાય એ પહેલા આ પ્રકારના રેસીડન્ટમાં કોમર્શિયલ અને કોમર્શિયલમાં અનેક ગણા બાંધકામ તાણી બેઠા છે એવા લોકો વિરુદ્ધ નોટીસો બજાવી કાયદેસરની કાર્યવાહી કરી આ પ્રકારના ગેરકાયદે બાંધકામ દુર કરવા જોઈએ.

સૌથી અવરોધ રૂપ એ લોકો બનતા હોય છે કે જે રેસીડન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બનાવી બેઠા છે, અને જે મુળ કોમર્શિયલ ધારકો છે એ પણ અનેકગણું અને તોતીંગ બાંધકામ તાણી બેઠા છે.આવા લોકો રિડેવલમેન્ટમાં વિલન બની પોતાના અલગ અડ્ડા જમાવી બેઠા છે જેના કારણે જે તે સોસાયટીઓમાં રેસીડન્ટમાં લોકો તૈયાર હોવા છતાં રિડેવલમેન્ટની પ્રક્રિયા ખોરંભાય છે.જેથી આવા વધારાના રેસીડન્ટમાં કોમર્શિયલ અને કોમર્શિયલમાં અનેકગણું તોતીંગ તાણી બેઠા છે એવા લોકો કાયદાનો દંડો વિઝાવવો જોઈએ, જેથી રિડેવલમેન્ટની પ્રક્રિયા ઝડપી બનશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...