Tuesday, October 14, 2025

હાઉસીંગ સોસાયટીઓના રિડેવલમેન્ટમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ સૌથી મોટો વિલન…!!!

Share

અમદાવાદ : અમદાવાદમાં આશરે 100 થી વધુ હાઉસીંગની સોસાયટીઓ આવેલ છે, જેમાં અત્યાર સુધી આંગળીના વેઢે ગણી શકાય એટલી બે-ત્રણ સોસાયટીઓ રિડેવલપમેન્ટ પ્રોજેકટમાં જોડાઈ શકી છે.અને અન્ય બે ચાર સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં તાજેતરમાં વધુ બે ચાર સોસાયટીઓમાં ટેન્ડરની પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં અનેક સમસ્યાઓ અને પ્રશ્નો રિડેવલપમેન્ટ પ્રક્રિયામાં બાધારૂપ બની રહી છે, જેથી બે-ચાર મુદ્દે હાઉસીંગ રિડેવલપમેન્ટ માટે હાઉસીંગ બોર્ડે કે સરકારે ફરીથી વિચારવું પડશે.

આપણે અગાઉ પણ રિડેવલપમેન્ટ પ્રક્રિયામાં બાધારૂપ પ્રશ્નોમાં દસ્તાવેજનો મુદ્દો અને વધારાના બાંધકામના મુદ્દાની વાત કરી હતી. આજે એ જ મુદ્દા વિશે વધુ વિગતવાર વાત કરીશું. રિડેવલપમેન્ટમાં સૌથી બાધારૂપ પ્રશ્નોમાં હાઉસીંગમાં વધારાના બાંધકામનો હોવાનું જાણવા મળ્યું છે. નારણપુરા, સોલા અને નવા વાડજ સહિતની હાઉસીંગની સોસાયટીઓમાં રહીશોએ વધારાના બાંધકામ કરી દીધા છે.જેમાં કેટલાંક લોકોએ અન્ય કરતાં અનેકગણા મોટા તોતીંગ બાંધકામ તાણી બાંધ્યા છે, એમાંય ખાસ કરીને રેસીડન્ટ વિસ્તારમાં અનેક રહીશોએ કોમર્શિયલ બાંધકામો તાણી બાંધ્યા છે, અને આ લોકો રિડેવલમેન્ટનો બાંયો ચડાવી વિરોધ કરી રહ્યા છે.

મોટાભાગની હાઉસીંગની સોસાયટીઓમાં રેસીડન્ટ વિસ્તાર હોય છે કયાંક હાઉસીંગ દ્વારા કોમર્શિયલ પણ બનાવાયા છે પરંતુ સૌથી અવરોધ રૂપ એ લોકો બનતા હોય છે કે જે રેસીડન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બનાવી બેઠા છે, અને જે મુળ કોમર્શિયલ ધારકો છે એ પણ અનેકગણું અને તોતીંગ બાંધકામ તાણી બેઠા છે.આવા લોકો રિડેવલમેન્ટમાં વિલન બની પોતાના અલગ અડ્ડા જમાવી બેઠા છે જેના કારણે જે તે સોસાયટીઓમાં રેસીડન્ટમાં લોકો તૈયાર હોવા છતાં રિડેવલમેન્ટની પ્રક્રિયા ખોરંભાય છે.જેથી આવા વધારાના રેસીડન્ટમાં કોમર્શિયલ અને કોમર્શિયલમાં અનેકગણું તોતીંગ તાણી બેઠા છે એવા લોકો કાયદાનો દંડો વિઝાવવો જોઈએ, જેથી રિડેવલમેન્ટની પ્રક્રિયા ઝડપી બનશે.

હવે તમને જણાવી દઈએ કે સરકારની રિડેવલમેન્ટ પોલીસીમાં રેસીડન્ટમાં 40 ટકા અને કોમર્શિયલમાં 25 ટકા વધુ મોટા બાંધકામ આપવાની જોગવાઈ છતાં અનેકગણા બાંધકામ તાણી બેઠા હોવાને કારણે આવા દસ-પંદર લોકો માટે સોસાયટીના બહુમત સભ્યોને હેરાન થવાનો વારો આવે છે.

હાઉસીંગ બોર્ડ દ્વારા ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ વિરુદ્ધ કાયદાનો દંડા વિઝાવવો જોઈએ

અમદાવાદ : મોટાભાગની હાઉસીંગની સોસાયટીઓમાં રેસીડન્ટ અને કોમર્શિયલમાં વધારાના બાંધકામ અને એમાંય ખાસ કરીને રેસીડન્ટમાં કોમર્શિયલ અને કોમર્શિયલનું અનેક ગણું કોમર્શિયલ તાણી બેઠા છે એવા લોકો વિરુદ્ધ હાઉસીંગ બોર્ડ દ્વારા કાયદાનો દંડા વિઝાવવો જોઈએ.જેથી રિડેવલમેન્ટની પ્રક્રિયા ઝડપી બની શકશે.

એક આગેવાનના મત મુજબ ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા જયારે હાઉસીંગ સોસાયટીની સંમતિ સ્વીકારાય અથવા ટેન્ડરીંગ પ્રક્રિયા શરૂ કરાય અથવા તો બિલ્ડર અને એસોસિયેશન વચ્ચે એમઓયુ થાય એ પહેલા આ પ્રકારના રેસીડન્ટમાં કોમર્શિયલ અને કોમર્શિયલમાં અનેક ગણા બાંધકામ તાણી બેઠા છે એવા લોકો વિરુદ્ધ નોટીસો બજાવી કાયદેસરની કાર્યવાહી કરી આ પ્રકારના ગેરકાયદે બાંધકામ દુર કરવા જોઈએ.

સૌથી અવરોધ રૂપ એ લોકો બનતા હોય છે કે જે રેસીડન્ટ વિસ્તારમાં કોમર્શિયલ બનાવી બેઠા છે, અને જે મુળ કોમર્શિયલ ધારકો છે એ પણ અનેકગણું અને તોતીંગ બાંધકામ તાણી બેઠા છે.આવા લોકો રિડેવલમેન્ટમાં વિલન બની પોતાના અલગ અડ્ડા જમાવી બેઠા છે જેના કારણે જે તે સોસાયટીઓમાં રેસીડન્ટમાં લોકો તૈયાર હોવા છતાં રિડેવલમેન્ટની પ્રક્રિયા ખોરંભાય છે.જેથી આવા વધારાના રેસીડન્ટમાં કોમર્શિયલ અને કોમર્શિયલમાં અનેકગણું તોતીંગ તાણી બેઠા છે એવા લોકો કાયદાનો દંડો વિઝાવવો જોઈએ, જેથી રિડેવલમેન્ટની પ્રક્રિયા ઝડપી બનશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...