Wednesday, January 14, 2026

રિડેવલમેન્ટ ઈફેક્ટ, હાઉસીંગ સોસાયટીઓમાં ફલેટોની કિંમતોમાં ભારે ઉછાળો

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં જંત્રીના દરમાં તગડો વધારો થયો ત્યાર પછી અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં સોસાયટીઓના રિડેવલપમેન્ટ પ્લાનમાં તેજી આવી છે. ખાસ કરીને ખાનગી સોસાયટીના રિડેવલમેન્ટ અને હાઉસીંગ સોસાયટીના રિડેવલપમેન્ટ વધ્યા છે.જંત્રીના રેટ વધ્યા પછી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને જે ડેવલપર્સને પ્રોજેક્ટમાં રસ હોય તેઓ આગળ આવી રહ્યા છે. રિયલ્ટી ક્ષેત્રના જાણકારો કહે છે કે છેલ્લા ત્રણ મહિનામાં લગભગ 30 રિડેવલપમેન્ટ ડીલ થઈ છે અને 500 થી વધારે સોસાયટીઓ ડેવલપર્સ સાથે વાતચીત કરી રહી છે. જયારે હાઉસીંગ સોસાયટીઓમાં ખાનગી સોસાયટીઓના પ્રમાણમાં બે-ચાર સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ ડીલ થઈ છે જયારે ૧૫ થી વધુ હાઉસીંગ સોસાયટીઓમાં જંત્રીના દર વધ્યા પછી ઓફરો વિશે નવેસરથી વાત ચાલે છે.

અમદાવાદમાં આશરે 100 થી વધુ હાઉસીંગની સોસાયટીઓ આવેલ છે, ભલે અત્યાર સુધી આંગળીના વેઢે ગણી શકાય એટલી બે-ચાર સોસાયટીઓ રિડેવલપમેન્ટ પ્રોજેકટમાં જોડાઈ શકી છે.પરંતુ જેની અસર સમગ્ર હાઉસીંગ વિસ્તારમાં આવેલ તમામ નાની-મોટી તમામ હાઉસીંગ સોસાયટીઓમાં જોવા મળી રહી છે. કારણ કે જયાં રિડેવલપમેન્ટ આવે એ સોસાયટી અને તેની આજુબાજુની સોસાયટીઓમાં મકાનોની કિંમતોમાં ઉછાળો આવે છે.હજુ અનેક સોસાયટીઓમાં એમઓયુ પણ નથી થયા ત્યાં પણ ફલેટોની કિંમતોમાં ઉછાળો જોવા મળે છે.જયારે જયાં જયાં એમઓયુ થઈ રહ્યા છે ત્યા તો આજુબાજુની સોસાયટીઓમાં ભવિષ્યમાં રિડેવલમેન્ટ આવશે એ આશાએ ફલેટોની કિંમતો વધવા પામી છે.

સૌ પ્રથમ વાત કરીએ તો નારણપુરામાં આવેલ એકતા એપાર્ટમેન્ટ કે જે રિડેવલમેન્ટ બાદ અત્યારે એકતા ફેસ્ટીવલના નામે ઓળખાય છે, આ એકતા ફેસ્ટીવલમાં રિડેવલપમેન્ટ પહેલા એક ફલેટની કિંમત માંડ 40 થી 50 લાખ જેટલી હતી, રિડેવલપમેન્ટ બાદ હાલમાં ફલેટની કિંમત 1 કરોડને પાર કરી દીધી છે, બીજુ ઉદાહરણ જોઈએ તો સોલા વિસ્તારની રામેશ્વર એપાર્ટમેન્ટની, રિડેવલમેન્ટ પહેલા આ ફલેટના મકાનની કિંમત માંડ 30 થી 40 લાખ હતી.જેમ જેમ રિડેવલમેન્ટ આગળ વધતું ગયું તેમ તેમ આ સોસાયટીમાં ફલેટની કિંમત વધતી ગઈ, છેલ્લે જયારે ડિમોલીશન સમય આવ્યો ત્યારે એક ફલેટની કિંમત 65 થી 70 લાખ સુધી પહોંચી હોવાની સ્થાનિકો જણાવી રહ્યા છે.હાલમાં આ ફલેટમાં સંપૂર્ણપણે ડિમોલીશન કામ પુરુ કરી જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે.આગામી ટુંક સમયમાં નવા ફલેટનું કામ શરૂ થશે.જાણકારોના મત મુજબ આ ફલેટમાં બુકિંગ વખતે કિંમત રૂા.1.10 કરોડ હશે અને જયારે 2026 માં પજેશન અપાશે ત્યારે આ ફલેટની કિંમત અંદાજે 1.25 કરોડ ઉપર રહેશે.

આમ અમદાવાદના નારણપુરા, સોલા અને નવા વાડજ વિસ્તારમાં અનેક હાઉસીંગ સોસાયટીઓના રિડેવલપમેન્ટ ની પ્રક્રિયાઓ ચાલી રહી છે, ભલે અત્યારે આંગળીના વેઢે ગણાય એટલી સોસાયટીઓમાં રિડેવલમેન્ટની ડીલ થઈ છે પરંતુ જે રીતે લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે એ મુજબ આગામી સમયમાં અનેક સોસાયટીઓ રિડેવલમેન્ટ પ્રોજેકટમાં જોડાય તેવી શક્યતાઓ રહેલી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...