Friday, November 28, 2025

રિડેવલમેન્ટ ઈફેક્ટ, હાઉસીંગ સોસાયટીઓમાં ફલેટોની કિંમતોમાં ભારે ઉછાળો

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં જંત્રીના દરમાં તગડો વધારો થયો ત્યાર પછી અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં સોસાયટીઓના રિડેવલપમેન્ટ પ્લાનમાં તેજી આવી છે. ખાસ કરીને ખાનગી સોસાયટીના રિડેવલમેન્ટ અને હાઉસીંગ સોસાયટીના રિડેવલપમેન્ટ વધ્યા છે.જંત્રીના રેટ વધ્યા પછી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને જે ડેવલપર્સને પ્રોજેક્ટમાં રસ હોય તેઓ આગળ આવી રહ્યા છે. રિયલ્ટી ક્ષેત્રના જાણકારો કહે છે કે છેલ્લા ત્રણ મહિનામાં લગભગ 30 રિડેવલપમેન્ટ ડીલ થઈ છે અને 500 થી વધારે સોસાયટીઓ ડેવલપર્સ સાથે વાતચીત કરી રહી છે. જયારે હાઉસીંગ સોસાયટીઓમાં ખાનગી સોસાયટીઓના પ્રમાણમાં બે-ચાર સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ ડીલ થઈ છે જયારે ૧૫ થી વધુ હાઉસીંગ સોસાયટીઓમાં જંત્રીના દર વધ્યા પછી ઓફરો વિશે નવેસરથી વાત ચાલે છે.

અમદાવાદમાં આશરે 100 થી વધુ હાઉસીંગની સોસાયટીઓ આવેલ છે, ભલે અત્યાર સુધી આંગળીના વેઢે ગણી શકાય એટલી બે-ચાર સોસાયટીઓ રિડેવલપમેન્ટ પ્રોજેકટમાં જોડાઈ શકી છે.પરંતુ જેની અસર સમગ્ર હાઉસીંગ વિસ્તારમાં આવેલ તમામ નાની-મોટી તમામ હાઉસીંગ સોસાયટીઓમાં જોવા મળી રહી છે. કારણ કે જયાં રિડેવલપમેન્ટ આવે એ સોસાયટી અને તેની આજુબાજુની સોસાયટીઓમાં મકાનોની કિંમતોમાં ઉછાળો આવે છે.હજુ અનેક સોસાયટીઓમાં એમઓયુ પણ નથી થયા ત્યાં પણ ફલેટોની કિંમતોમાં ઉછાળો જોવા મળે છે.જયારે જયાં જયાં એમઓયુ થઈ રહ્યા છે ત્યા તો આજુબાજુની સોસાયટીઓમાં ભવિષ્યમાં રિડેવલમેન્ટ આવશે એ આશાએ ફલેટોની કિંમતો વધવા પામી છે.

સૌ પ્રથમ વાત કરીએ તો નારણપુરામાં આવેલ એકતા એપાર્ટમેન્ટ કે જે રિડેવલમેન્ટ બાદ અત્યારે એકતા ફેસ્ટીવલના નામે ઓળખાય છે, આ એકતા ફેસ્ટીવલમાં રિડેવલપમેન્ટ પહેલા એક ફલેટની કિંમત માંડ 40 થી 50 લાખ જેટલી હતી, રિડેવલપમેન્ટ બાદ હાલમાં ફલેટની કિંમત 1 કરોડને પાર કરી દીધી છે, બીજુ ઉદાહરણ જોઈએ તો સોલા વિસ્તારની રામેશ્વર એપાર્ટમેન્ટની, રિડેવલમેન્ટ પહેલા આ ફલેટના મકાનની કિંમત માંડ 30 થી 40 લાખ હતી.જેમ જેમ રિડેવલમેન્ટ આગળ વધતું ગયું તેમ તેમ આ સોસાયટીમાં ફલેટની કિંમત વધતી ગઈ, છેલ્લે જયારે ડિમોલીશન સમય આવ્યો ત્યારે એક ફલેટની કિંમત 65 થી 70 લાખ સુધી પહોંચી હોવાની સ્થાનિકો જણાવી રહ્યા છે.હાલમાં આ ફલેટમાં સંપૂર્ણપણે ડિમોલીશન કામ પુરુ કરી જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે.આગામી ટુંક સમયમાં નવા ફલેટનું કામ શરૂ થશે.જાણકારોના મત મુજબ આ ફલેટમાં બુકિંગ વખતે કિંમત રૂા.1.10 કરોડ હશે અને જયારે 2026 માં પજેશન અપાશે ત્યારે આ ફલેટની કિંમત અંદાજે 1.25 કરોડ ઉપર રહેશે.

આમ અમદાવાદના નારણપુરા, સોલા અને નવા વાડજ વિસ્તારમાં અનેક હાઉસીંગ સોસાયટીઓના રિડેવલપમેન્ટ ની પ્રક્રિયાઓ ચાલી રહી છે, ભલે અત્યારે આંગળીના વેઢે ગણાય એટલી સોસાયટીઓમાં રિડેવલમેન્ટની ડીલ થઈ છે પરંતુ જે રીતે લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે એ મુજબ આગામી સમયમાં અનેક સોસાયટીઓ રિડેવલમેન્ટ પ્રોજેકટમાં જોડાય તેવી શક્યતાઓ રહેલી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...