Friday, April 17, 2026

રિડેવલમેન્ટ ઈફેક્ટ, હાઉસીંગ સોસાયટીઓમાં ફલેટોની કિંમતોમાં ભારે ઉછાળો

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં જંત્રીના દરમાં તગડો વધારો થયો ત્યાર પછી અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં સોસાયટીઓના રિડેવલપમેન્ટ પ્લાનમાં તેજી આવી છે. ખાસ કરીને ખાનગી સોસાયટીના રિડેવલમેન્ટ અને હાઉસીંગ સોસાયટીના રિડેવલપમેન્ટ વધ્યા છે.જંત્રીના રેટ વધ્યા પછી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે અને જે ડેવલપર્સને પ્રોજેક્ટમાં રસ હોય તેઓ આગળ આવી રહ્યા છે. રિયલ્ટી ક્ષેત્રના જાણકારો કહે છે કે છેલ્લા ત્રણ મહિનામાં લગભગ 30 રિડેવલપમેન્ટ ડીલ થઈ છે અને 500 થી વધારે સોસાયટીઓ ડેવલપર્સ સાથે વાતચીત કરી રહી છે. જયારે હાઉસીંગ સોસાયટીઓમાં ખાનગી સોસાયટીઓના પ્રમાણમાં બે-ચાર સોસાયટીઓમાં રિડેવલપમેન્ટ ડીલ થઈ છે જયારે ૧૫ થી વધુ હાઉસીંગ સોસાયટીઓમાં જંત્રીના દર વધ્યા પછી ઓફરો વિશે નવેસરથી વાત ચાલે છે.

અમદાવાદમાં આશરે 100 થી વધુ હાઉસીંગની સોસાયટીઓ આવેલ છે, ભલે અત્યાર સુધી આંગળીના વેઢે ગણી શકાય એટલી બે-ચાર સોસાયટીઓ રિડેવલપમેન્ટ પ્રોજેકટમાં જોડાઈ શકી છે.પરંતુ જેની અસર સમગ્ર હાઉસીંગ વિસ્તારમાં આવેલ તમામ નાની-મોટી તમામ હાઉસીંગ સોસાયટીઓમાં જોવા મળી રહી છે. કારણ કે જયાં રિડેવલપમેન્ટ આવે એ સોસાયટી અને તેની આજુબાજુની સોસાયટીઓમાં મકાનોની કિંમતોમાં ઉછાળો આવે છે.હજુ અનેક સોસાયટીઓમાં એમઓયુ પણ નથી થયા ત્યાં પણ ફલેટોની કિંમતોમાં ઉછાળો જોવા મળે છે.જયારે જયાં જયાં એમઓયુ થઈ રહ્યા છે ત્યા તો આજુબાજુની સોસાયટીઓમાં ભવિષ્યમાં રિડેવલમેન્ટ આવશે એ આશાએ ફલેટોની કિંમતો વધવા પામી છે.

સૌ પ્રથમ વાત કરીએ તો નારણપુરામાં આવેલ એકતા એપાર્ટમેન્ટ કે જે રિડેવલમેન્ટ બાદ અત્યારે એકતા ફેસ્ટીવલના નામે ઓળખાય છે, આ એકતા ફેસ્ટીવલમાં રિડેવલપમેન્ટ પહેલા એક ફલેટની કિંમત માંડ 40 થી 50 લાખ જેટલી હતી, રિડેવલપમેન્ટ બાદ હાલમાં ફલેટની કિંમત 1 કરોડને પાર કરી દીધી છે, બીજુ ઉદાહરણ જોઈએ તો સોલા વિસ્તારની રામેશ્વર એપાર્ટમેન્ટની, રિડેવલમેન્ટ પહેલા આ ફલેટના મકાનની કિંમત માંડ 30 થી 40 લાખ હતી.જેમ જેમ રિડેવલમેન્ટ આગળ વધતું ગયું તેમ તેમ આ સોસાયટીમાં ફલેટની કિંમત વધતી ગઈ, છેલ્લે જયારે ડિમોલીશન સમય આવ્યો ત્યારે એક ફલેટની કિંમત 65 થી 70 લાખ સુધી પહોંચી હોવાની સ્થાનિકો જણાવી રહ્યા છે.હાલમાં આ ફલેટમાં સંપૂર્ણપણે ડિમોલીશન કામ પુરુ કરી જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે.આગામી ટુંક સમયમાં નવા ફલેટનું કામ શરૂ થશે.જાણકારોના મત મુજબ આ ફલેટમાં બુકિંગ વખતે કિંમત રૂા.1.10 કરોડ હશે અને જયારે 2026 માં પજેશન અપાશે ત્યારે આ ફલેટની કિંમત અંદાજે 1.25 કરોડ ઉપર રહેશે.

આમ અમદાવાદના નારણપુરા, સોલા અને નવા વાડજ વિસ્તારમાં અનેક હાઉસીંગ સોસાયટીઓના રિડેવલપમેન્ટ ની પ્રક્રિયાઓ ચાલી રહી છે, ભલે અત્યારે આંગળીના વેઢે ગણાય એટલી સોસાયટીઓમાં રિડેવલમેન્ટની ડીલ થઈ છે પરંતુ જે રીતે લોકોમાં ચર્ચાઓ ચાલી રહી છે એ મુજબ આગામી સમયમાં અનેક સોસાયટીઓ રિડેવલમેન્ટ પ્રોજેકટમાં જોડાય તેવી શક્યતાઓ રહેલી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...