Sunday, April 26, 2026

અમદાવાદ પોલીસની નવરાત્રીને લઈને ખાસ સૂચનાઓ, તમામ આયોજકે આ નિયમોનું પાલન કરવું પડશે

spot_img
Share

અમદાવાદ : નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરીજનો શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રી મનાવી શકે તે પોલીસ સજ્જ થઈ ગઈ છે. જો કે, આ સાથે આયોજકો માટે પણ પોલીસે કેટલાક સૂચનો જણાવ્યાં છે. અમદાવાદ પોલીસ કમિશનર ટૂંક સમયમાં નવરાત્રીને લઇને જાહેરનામું બહાર પાડશે. જે જાહેરનામામાં અનેક સૂચનો પોલીસ દ્વારા આપવામાં આવશે.

નવલી નવરાત્રીની શરૂઆત 15 ઓક્ટોબરથી થઈ રહી છે ત્યારે અમદાવાદ પોલીસની નવરાત્રીની તૈયારીઓ બાબતે અમદાવાદ પોલીસ કંટ્રોલના ડીસીપી કોમલ વ્યાસે મીડિયા ને માહિતી આપતા જણાવ્યું હતું અત્યાર સુધીમાં 47 અરજીઓ પોલીસ પાસે આવી છે, જેમાં પરવાનગી આપવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.

અમદાવાદ પોલીસની આયોજકોને સૂચના

1. જાહેરમાં લાઉસ્પીકર વગાડવાની માન્યતા 12 વાગ્યા સુધી આપવામાં આવી
2. ગરબા પૂર્ણ થયા બાદ ટ્રાફિક નો પ્રશ્ન ન સર્જાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે
3. ગરબા વેન્યુ પર આયોજકોને CCTV રાખવાની સૂચના, CCTV કંટ્રોલ રૂમ તૈયાર કરવાની સૂચના
4. પાર્કિંગ સ્થળ ગરબા ગ્રાઉન્ડ થી 100 મીટર દૂર રાખવાની સૂચના
5. હાર્ટ એટેકના કિસ્સામાં આવી ઘટના ના બને તે માટે તબીબી ટીમ તૈનાત રહે તે માટે CP દ્વારા સૂચના આપવામાં આવશે
6. લાઈટિંગ માટે સર્ટિફિકેટ અને ફાયર સેફ્ટી ના NOC લેવામાં આવે તેવી માંગ

મહિલાઓ માટે સી ટીમ સજ્જ
અમદાવાદના ડીસીપી કન્ટ્રોલ કોમલ વ્યાસે વધુમાં નિવેદન આપ્યું હતું કે ગરબાનો સમય પૂર્ણ થયા બાદ મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા મહિલા પણ તેના જ કરવામાં આવશે જ્યારે મહિલા પોલીસ ડ્રેસમાં નહીં પરંતુ સિવિલ ડ્રેસમાં ફરીને છેડતીની ઘટનાને રોકવાના તથા છેડતીની ઘટના ન બને તે માટે પણ ખાસ અમુક જગ્યા ઉપર ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે ઉપરાંત ગરબા પૂર્ણ થયા બાદ મુખ્ય માર્ગો ઉપર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેને ધ્યાનમાં લઈને પણ ટ્રાફિક પોલીસને જવાનોને પણ ખડે પગે રાખવામાં આવશે,આમ યુવતીઓ સુરક્ષા માટે ખાસ સી ટીમ તૈયાર રાખવામાં આવશે.

પોલીસ દ્વારા નવરાત્રી દરમિયાન કડક બંદોબસ્ત

બ્રિથ એનલાઈઝર, બોડીવોર્ન કેમેરા સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરાશે
તમામ પાર્ટીપ્લોટ પર ખાનગી કપડામાં પોલીસ કર્મીઓ તૈનાત રહેશે
રોમીયોગીરી કરનાર તથા સ્ટંટ બાજી કરનારા લોકો માટે પણ પોલીસ પોઈન્ટ ગોઠવી કાર્યવાહી કરશે
ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે ટ્રાફિક પોલીસના કર્મચારીઓને પોઈન્ટ ફાળવવામાં આવશે.
આયોજનો દ્વારા કરવામાં આવેલી અરજીમાં પોલીસ દ્વારા આ તમામ પોઈન્ટોની ચકાસણી કર્યા બાદ જ તેમને પરમિશન અપાશે
કોઈ પણ પ્રકારની ગેરરીતી જણાશે તો પરમિશન કેન્સલ કરી દેવાશે
સોશિયલ મિડીયા પર અફવાઓ ન ફેલાય તે માટે વોચ રખાશે
બીડીડીએસની ટીમો રાખવામાં આવશે
નશીલા પદાર્થોનો ઉપયોગ ન થાય તે માટે બ્રિથ એનલાઈઝર, બોડીવોર્ન કેમેરા સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...