Wednesday, March 4, 2026

નવા વાડજની આ શાળામાં વિધાર્થિનીઓ માટે સ્ત્રીરોગ જાગૃતિ અભિયાન અંતર્ગત અનોખી શિબીર યોજાઈ

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજમાં આવેલ અક્ષર પ્રાથમિક શાળામાં 12 વર્ષ જે તેથી વધુ ઉંમરની દિકરીઓ અને તેમની માતાઓ માટે સ્ત્રીરોગ જાગૃતિ અભિયાન અંતર્ગત અનોખી શિબીર શનિવારના રોજ યોજાઈ હતી. જેમાં જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉ.સ્વીટી ચૌહાણ દ્વારા વિદ્યાર્થીનીઓ અને તેમની માતાને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઘણીવાર મહિલાઓ પોતાના શરીરની તકલીફોને પણ ભૂલી જાય છે અને પૂરતા માર્ગદર્શનને અભાવે જૂની લોકવાયકાઓ સાંભળી પોતાના શરીરની તકલીફને સહન કરતાં કરતાં જીવતી હોય છે. આવી જ એક સર્વસામાન્ય અવસ્થા એટલે દીકરીના જીવનમાં આવતો પ્રથમ માસિકકાળ. આ વિશે માહિતી ના હોવાથી દિકરીઓ ખૂબ ગભરાઈ જતી હોય છે અને માતા પણ પોતાની સમજણ અને શરમને આધીન દીકરીને પૂરતી માહિતગાર કરી શકતી નથી.

આ મર્યાદાઓને ટાળવા નવા વાડજની અક્ષર પ્રાથમિક શાળામાં 12 વર્ષ જે તેથી વધુ ઉંમરની દિકરીઓ અને તેમની માતાઓ માટે સ્ત્રીરોગ જાગૃતિ અભિયાન અંતર્ગત શિબીર રાખી. જેમાં ડૉ.સ્વીટી ચૌહાણ દ્વારા વિદ્યાર્થીનીઓ અને તેમની માતા ને માર્ગદર્શન અને જરૂરી વિગતો જણાવવામાં આવી. બદલાતા આધુનિક યુગમાં દીકરીઓ જો સ્વસ્થ અને જાગૃત હશે તો જ એ દેશના ઘડતરમાં સાચું યોગદાન આપી શકશે. અને તો જ આપણે સાચા અર્થમાં મહિલાને સન્માન પૂર્વક કહી શકીશું, ‘નારી તું નારાયણી’.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...