Sunday, April 26, 2026

અમદાવાદ પોલીસ કમિશનરની રિવરફ્રન્ટની મુલાકાત, 22 કિ.મી. લાંબા રિવરફ્રન્ટ પર CCTV ને લઈને શું કહ્યું જાણો ?

spot_img
Share

અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદમાં બની રહેલી હત્યાની ઘટનાઓ બાદ અમદાવાદ પોલીસ એક્શનમા આવી છે. ખાસ કરીને અમદાવાદના રિવરફ્રન્ટ પર ફાયરિંગ વિથ મર્ડર અને આત્મહત્યાની ઘટનાનો ભેદ ગણતરીના કલાકોમાં પોલીસે ઉકેલી નાખ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર ઘટનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો તેની વિગતવાર માહિતી મેળવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક રિવરફ્રન્ટ પહોંચ્યા હતા અને જ્યા યુવકને ગોળી મારવામાં આવી હતી તે સ્થળની મુલાકાત લીધી હતી. પોલીસ કમિશનરે કહ્યું કે, રિવરફ્રન્ટ પર સ્મિત ગોહિલની હત્યા નહીં પણ આત્મહત્યા છે. સ્મિત ગોહિલ અને અન્ય એક આરોપીએ વિરમગામમાં એક યુવકની હત્યા કરી હતી. પકડાઇ જવાના ડરે તેણે અહીંયા આવીને આપઘાત કર્યો છે.

શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિકે કહ્યું કે, ગુના 2-5 ટકા વધે કે ઘટે એમાં બેઉ ફેર પડવાનો નથી. મહત્વની વાત એ છે કે, ગુનો બન્યા બાદ નોંધાય અને શોધાય પણ ઝડપી છે.પોલીસ પર વાહન ચેકિંગને લઇને કેટલીક વખત આરોપ લગાવવામાં આવે છે. આ સવાલના જવાબમાં શહેરના પોલીસ કમિશનરે કહ્યું કે- અમદાવાદમાં દરેક વાહનને ચેક નહીં કરી શકાય. પહેલા 10 મહિનામાં અમદાવાદમાં 97 ગુના નોંધાયા છે અને તે તમામને શોધવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યું કે- અમદાવાદમાં ગુનાખોરી કાબુમાં છે.

અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યું કે- શાહપુર અને વટવાના મર્ડર ડિટેક્ટ થઇ ગયા છે. આ ઉપરાંત 22 કિલોમીટર રિવરફ્રન્ટ પર સીસીટીવી નહીં હોવા મામલે તેમણે મહત્વનું નિવેદન આપ્યું છે. અમદાવાદના 22 કિલોમીટર લાંબા રિવરફ્રન્ટ પર સીસીટીવી કેમ નથી? તે અંગે પોલીસ કમિશનરે જણાવ્યું કે, કોર્પોરેશન સાથે આ અંગે પ્રયાસ ચાલુ છે અને ઝડપથી સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...