Wednesday, March 4, 2026

દિવાળીના વેકેશનમાં ‘ડોક્ટર ઓન કોલ’ સેવામાં આ તબીબો રહેશે હાજર, વાંચો આ લિસ્ટ

spot_img
Share

અમદાવાદ : દિવાળીના તહેવારમાં જો કોઇ મેડિકલ ઇમરજન્સી આવે તો ગભરાશો નહીં. દર વર્ષ ની જેમ આ વર્ષે પણ અમદાવાદ મેડિકલ એસોસિયેશને (AMA) તહેવારના ટાણે મેડિકલ ઇમરજન્સીની સ્થિતિમાં વિવિધ બ્રાન્ચના 53 તબીબોનું લિસ્ટ જાહેર કર્યું છે. તહેવારના સમયમાં ઇમરજન્સી કેસને તુરંત સારવાર મળી રહે તે માટે અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા આ આવકારદાયક પહેલ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ AMA દ્વારા છેલ્લા 10-12 વર્ષથી દિવાળીના પાંચ દિવસ દરમિયાન દર્દીઓને સારવાર મળી રહે તે હેતુથી ‘ડોક્ટર ઓન કોલ’ સેવાની શરૂઆત કરવામાં આવી હતી. આ એક સ્વૈચ્છિક સેવા છે. જેમાં ડોક્ટરો સ્વૈચ્છિક રીતે નામ નોંધાવે છે. આ વર્ષે 53 ડોક્ટરોએ નોંધણી કરાવી છે. જેઓ જુદા જુદા વિસ્તારોમાં વિવિધ સમયે માત્ર એક ફોન કોલ પર ઉપલબ્ધ રહેશે. આ વર્ષે તારીખ 11 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી એટલે કે પાંચ દિવસ દરમિયાન ‘ડોક્ટર ઓન કોલ’ સેવા ઉપલબ્ધ રહેશે.

AMA દ્વારા, છેલ્લા 10 વર્ષથી આ સેવા કાર્યરત છે. જેમાં દર વર્ષે પાંચ દિવસ દરમિયાન લગભગ 1000થી 1200 કેસ નોંધાતા હોય છે. જેમાં સરેરાશ રીતે દરરોજના 200-250 કોલ આવતા હોય છે. દિવાળી અને બેસતા વર્ષના દિવસે આ આંકડામાં વધારો નોંધાતો હોય છે. મુખ્યત્વે પાંચ દિવસ દરમિયાન દાઝવાના, ધુમાડાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડવી, ધુમાડાની એલર્જી વગેરે જેવા કેસ નોંધાતા હોય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...