Sunday, September 14, 2025

સિંધુભવન રોડ પર રફ્તારચાલકોનો આતંક ! નબીરાએ રેસ લગાવી કર્યો અકસ્માત, સ્થાનિકોમાં રોષ

Share

Share

અમદાવાદ : દિવાળીના દિવસે અમદાવાદમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સિંધુભવન રોડને ફરી એકવાર નબીરાઓએ અમદાવાદના રસ્તાને રેસિંગ ટ્રેક બનાવી દીધો છે. સિંધુભવન રોડ પર રાતના 3 વાગ્યા બાદ એક અકસ્માત થયો હતો. જો કે આ અકસ્માત માટેનું કારણ કાર રેસ હતુ. બે લક્ઝુરિઅસ કારના ચાલકોએ રેસ લગાવી હતી અને આ જ દરમિયાન મર્સિડીઝ કારની ટક્કરે બે ગાડી આવી ગઈ.

રિપોર્ટ મુજબ સિંધુભવન રોડ પર નબીરાઓ લોકોના જીવ જોખમમાં મુકી રેસ લગાવી રહ્યા છે. ગઈકાલે દિવાળીના દિવસે મોડીરાતે 3:26 વાગ્યે રેસિંગના ચક્કરમાં 2 કાર અથડાઈ હતી. જેમાં નબીરાઓએ પૂરપાટ ઝડપે કાર ચલાવી બે કારને અડફેટે લીધી હતી. પ્રાથમિક વિગતો મુજબ રિશીત પટેલ નામના નબીરાએ અકસ્માત કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ તરફ અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિએ આરોપ લગાવતા કહ્યું છે કે, અકસ્માત બાદ કારની નંબર પ્લેટ પણ બદલી દેવામાં આવી હતી. આ સાથે રિશીત પટેલના માણસોએ આવી લોકોને ધમકાવ્યા હતા. તેમણે કહ્યું કે, મારી કારને ટક્કર મારી અને કાર ચાલક નશાની હાલતમાં હતો. આ સાથે તેમણે કહ્યું કે, કારની રેસ કરતી વખતે અકસ્માત કર્યો. આ તો કારનું ટાયર ફાટયું એટલે ગાડી ઊભી રાખી નહીં તો ભાગી જાત.

જો કે આ અકસ્માત બાદ સવાલ એ થાય છે કે ક્યાં સુધી આ નબીરાઓ બીજાના જીવને જોખમમાં મુકતા રહેશે. અમદાવાદના રસ્તાઓ પર નીકળી પડતાં આ નબીરાઓ તદ્દન બેજવાબદારીભર્યું વર્તન કરે છે. જેનો ભોગ નિર્દોષ લોકો બને છે. આવા નબીરાઓ પર હવે કાયદાએ ગાળિયો કડક કરવાની જરૂર જણાઇ રહી છે. જેથી તેમની મજા કોઈ માટે સજા ન બને.

મહત્વનું છે કે, ઇસ્કોન બ્રિજ પર અગાઉ તથ્ય પટેલે ગમખ્વાર અકસ્માત સર્જ્યા બાદ પોલીસ એક્શનમાં આવી હતી. તથ્યકાંડ બાદ પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવી પરંતુ તે માત્ર નામની બની રહી હોય તેવી સ્થિતિ બની છે. થોડા દિવસો ડ્રાઇવ ચાલી અને ત્યાર બાદ ફરી નબીરાઓ બેફામ બન્યા છે. આ તરફ ફરી એકવાર નબીરાઓને જાણે કોઈ ડર જ ન હોય તેમ બેફામ બનતા હોય હવે પોલીસની કામગીરી પર ફરી સવાલો ઉઠ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...