Saturday, March 7, 2026

અમદાવાદમાં રમાનાર World Cupની ટ્રોફી જીતનાર અને રનર અપ ટીમને આટલા રૂપિયા મળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં રવિવારે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં World Cup ફાઈનલ જંગમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખેલાવાની છે. જેના પગલે ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચ જોવા માટે PM મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક હસ્તીઓ દેશ-વિદેશથી આવશે. બીજી તરફ આ મેચ જે ટીમ જીતશે તેના પર પૈસાનો વરસાદ થશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ ICCની જાહેરાત મુજબ વર્લ્ડકપ વિજેતા ટીમને 33 કરોડ રુપિયા જ્યારે ફાઈનલ મેચમાં હારનાર ટીમને 16.65 કરોડ રૂપિયા મળશે. ગ્રુપ સ્ટેજની મેચો જીતીને સેમી ફાઈનલમાં પ્રવેશનારી ટીમોને 6.66 કરોડ મળ્યા છે, જેમાં દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ ટીમનો સમાવેશ થાય છે. આ સાથે જ ગ્રૂપ રાઉન્ડમાં બહાર થઈ ગયેલી ટીમોને પણ પૈસા મળ્યા છે. જેમાં ઈંગ્લેન્ડ, શ્રીલંકા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેધરલેન્ડ અને બાંગ્લાદેશને 83.29 લાખ મળ્યા હતા. ICCએ ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ઈનામી રકમની જાહેરાત કરી દીધી હતી. જેણે ટુર્નામેન્ટ માટે રૂ. 83.29 કરોડનું બજેટ નક્કી કર્યું હતું.

ભારત 2003નો બદલો લેવા મેદાનમાં ઉતરશે
નોંધનીય છે કે, વન-ડે World Cup ની ફાઈનલ મેચમાં બીજી વખત ભારત અને ઓસ્ટ્રેલિયાનો મુકાબલો ખેલાઈ રહ્યો છે. 2003માં World Cup ફાઇનલમાં બંને ટીમ ટકરાઈ હતી. જેમાં ભારતનો પરાજય થયો હતો. પરિણામે આવતીકાલે ભારત આ હારનો બદલો લેવા મેદાનમાં ઉતરશે.

PM મોદી પણ ફાઇનલ મેચ જોવા આવશે
PM નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતની મુલાકાતે આવશે. PM મોદી સાંજે 4.30થી 5 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. સાંજે 5 વાગ્યા બાદ ગમે ત્યારે અનુકૂળતા મુજબ વર્લ્ડ કપ ફાઇનલમાં હાજરી આપશે.

આ સેલિબ્રિટી અને ક્રિકેટર્સ પણ ફાઇનલ મેચમાં હાજર રહી શકે
વર્લ્ડકપ ફાઇનલ મેચને જોવા માટે ક્રિકેટર્સમાં સચિન તેંડુલકર, મહેન્દ્રસિંહ ધોની, યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, વિરેન્દ્ર સેહવાગ, સૌરવ ગાંગુલી, કપિલ દેવ, હાજર રહી શકે છે. અને સેલિબ્રિટીમાં અમિતાભ બચ્ચન, રજનીકાંત, કમલ હાસન, મોહનલાલ, વેંકટેશ, નાગાર્જુન, રામચરણ હાજર રહી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...