Sunday, March 1, 2026

તમારી સોસાયટીમાં જર્જરીત બાંધકામ અને બહુમતી સભ્યો તૈયાર છે તો રિડેવલપમેન્ટ જરૂરી

spot_img
Share

સહમતિ કે અસહમતિ એ ગૌણ બાબત હોવી જોઈએ, ટેન્ડર પહેલા હોય કે પછી હોય એ પણ ગૌણ બાબત

અમદાવાદ : છોરું ક છોરું થાય પણ માવતર ક માવતર ન થાય, આ ગુજરાતી કહેવતનો અર્થ એ થાય છે કે છોકરા માં બાપ પ્રત્યે ની ફરજ ભૂલી જાય છે પરંતુ માવતર છોકરા પ્રત્યેની ફરજ નથી ભૂલતા. આ ગુજરાતી કહેવતને સાર્થક કરતી ગુજરાત હાઉસીંગ બોર્ડની રિડેવલપમેન્ટની કામગીરીને પ્રત્યે લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે.

તાજેતરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આશરે 50 થી વધુ નાની-મોટી હાઉસીંગ કોલોનીઓ કે જે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ છે, જેમાં મોટાભાગની કોલોનીઓ વર્ષો જુની છે અને રિડવલપમેન્ટની મુખ્ય શરત મુજબ જર્જરીત છે, એમાંય કેટલીક તો સાવ જર્જરીત અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું છે.હાઉસીંગ બોર્ડ દ્વારા મોટેભાગે 75 ટકા સંમતિ જમા કરાવ્યા બાદ ટેન્ડરીંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે ત્યારબાદ બિલ્ડર દ્વારા આગળની કામગીરી કરવામાં આવે છે.પરંતુ આ 50 હાઉસીંગ કોલોનીઓ કે જે હાઉસીંગ આંતરિક સર્વે બાદ બહાર આવ્યું છે કે ખૂબ જ જર્જરીત છે, લોકો જીવન જોખમે વસી રહ્યા છે ત્યારે હાઉસીંગ બોર્ડ દ્વારા પોતાની માવતર તરીકેને ફરજ ન ચુકીને સીધા ટેન્ડર કરીને લોકોને રિડેવલમેન્ટમાં લઈ જવાનો પ્રયાસ કરી લોકોના જીવના સુરક્ષાને લઈને વિચારવું…બાબતને લોકો શંકાની દ્વષ્ટિએ જોઈ રહ્યાં છે.

સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આવી સોસાયટીઓને લેખિત નોટિસ પણ આપવામાં આવી છે અને તેમાં 3 અલગ અલગ વિકલ્પ પણ આપેલ છે તેવું જાણવા મળેલ છે. 1. રિડેવલપમેન્ટ કરાવવું 2. હયાત સભ્યોએ મકાન અને બ્લોક સમારકામ કરી ભયજનકમાંથી રહેવાલાયક બનાવી દેવું 3. સત્તાની રુએ સ્થાનિક અમલીકરણ સંસ્થા કચેરીને જાણ કરી કાયદાકીય કાર્યવાહી આગળ કરવાની તજવીજ લેવામાં આવશે.

તાજેતરમાં જામનગરમાં જર્જરીત ફ્લેટના બ્લોક પડી જવાથી થયેલ જાનહાની જેવી ઘટનાઓને ટાળવા માટે બોર્ડ દ્વારા ઉપકારકારક કાર્યવાહી આગોતરા કરી સમય બચાવ સાથે ભયજનક કોલોનીઓમાં વસતા રહીશોના પરિવારોની સુરક્ષા માટે ટેન્ડરીંગનું પગલું ભરેલ છે. જેમાં કેટલા બિલ્ડર્સ રસ દાખવે છે તેની જાણ થાય તેમજ આવનારા બિલ્ડર્સની હાલમાં ફક્ત ટેકનિકલ ક્ષમતા બીડ ચકાસણી જ કરવામાં આવશે, નાણાંકીય ક્ષમતા બીડ ખોલવામાં આવશે નહિ તેની બંધ બીડ જ રહેશે. જે ટેન્ડર પ્રકાશિત કરતા પહેલાની સોસાયટી લેવલે થતી નિયમ મુજબની સંમતિ કાર્યવાહી કર્યા બાદ જ ખોલવામાં આવશે અને નાણાંકીય બીડમાં યોગ્યતા ધારાધોરણ મુજબ પસંદ થનાર બિલ્ડરને LOA આપવામાં આવશે એવું હાઉસીંગના સુત્રો જણાવી રહ્યાં છે.

હાઉસીંગ આગેવાનોના મત મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સાવચેતીના ભાગ રૂપે જાહેર કરાયેલ અનેક સોસાયટીના ટેન્ડર બાબત ફક્ત એવું જણાવી રહ્યા છે કે સરકારી સંસ્થા દ્વારા જનહિતમાં ઉપરોક્ત ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. સમયના બચાવને લઈને સમગ્ર કામગીરીને ખોટી રીતે વર્ણવી શકાય નહીં.ભયજનક સોસાયટીઓ માટે ગુ.હા.બોર્ડ ની આ ખૂબ સારી પહેલ છે બાકી જે સોસાયટીઓ ભયજનક નથી તેઓ વર્ષોથી રિડેવલોપમેન્ટ કરાવવા મથી રહી છે પણ હજી સુધી તેમના ટેન્ડર પ્રકાશિત થયા નથી. ક્યારેક જ આવા અવસર મળે છે માટે તક નો લાભ લેવો જોઈયે નહિ કે વિરોધ કરવો.

અન્ય એક હાઉસીંગના આગેવાને એક ઉદાહરણ ટાંકતા જણાવ્યું હતું કે કોઈ અર્ધ પાગલ કે પાગલ કોઈ પણ બાબતે લાઈટના મોટા થાંભલે ચડી જાય છે, પરંતુ તંત્ર એટલે ફાયર બ્રિગેડ, પોલીસ કે અન્ય સરકારી સંસ્થાઓ યેનકેન પ્રકારે આવા અર્ધ પાગલ કે પાગલ વ્યક્તિને બચાવવાના પ્રયાસ કરતું હોય છે, એમ હાઉસીંગ બોર્ડ દ્વારા કેટલાંક નાસમજ કે સ્વાર્થી લોકોના હિતને સાઈડમાં રાખીને ફકત મોટી સંખ્યામાં રહેલા રહીશોના હિત વિશે વિચારવું જોઈએ, બે-ચાર લોકોના વિરોધની વાતોને અવગણીને ફક્ત આવનાર સમયમાં કોઈ મોટી હોનારત સર્જાય એ પહેલા લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને રિડેવલપમેન્ટની કાર્યવાહીમાં આગળ વધવું જોઈએ.

અહીં અમો તમોને જણાવી દઈએ કે દરેક અમદાવાદ શહેરમાં જુદી જુદી હાઉસીંગ સોસાયટીએ ભૌગોલિક પરિસ્થિતિ અને ત્યાંના સભ્યોની હાલની પરિસ્થિતિ અને વિચારસરણી અલગ અલગ હોય છે. બોર્ડ દ્વારા સોસાયટી સોસાયટી દ્વારા અલગ અલગ વિચારસરણી મુજબ અલગ અલગ નિર્ણયો લેવા જોઈએ.ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા તાજેતરમાં જે ભયજનક લાગતી કોલોનીઓના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, જે કેટલાંકને ગમ્યુ હશે, તો કેટલાંકને નહીં ગમ્યુ હોય, પરંતુ હાઉસીંગ બોર્ડ દ્વારા આગામી સમયમાં ફક્ત બહુમતી સભ્યોના જાેખમ અને સંભવિત ભવિષ્યની દુઘટનાઓ કઈ રીતે ટાળી શકાય એ બાબતે જ વિચારવું જાેઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...