Tuesday, October 14, 2025

તમારી સોસાયટીમાં જર્જરીત બાંધકામ અને બહુમતી સભ્યો તૈયાર છે તો રિડેવલપમેન્ટ જરૂરી

Share

સહમતિ કે અસહમતિ એ ગૌણ બાબત હોવી જોઈએ, ટેન્ડર પહેલા હોય કે પછી હોય એ પણ ગૌણ બાબત

અમદાવાદ : છોરું ક છોરું થાય પણ માવતર ક માવતર ન થાય, આ ગુજરાતી કહેવતનો અર્થ એ થાય છે કે છોકરા માં બાપ પ્રત્યે ની ફરજ ભૂલી જાય છે પરંતુ માવતર છોકરા પ્રત્યેની ફરજ નથી ભૂલતા. આ ગુજરાતી કહેવતને સાર્થક કરતી ગુજરાત હાઉસીંગ બોર્ડની રિડેવલપમેન્ટની કામગીરીને પ્રત્યે લોકો શંકાની નજરે જોઈ રહ્યા છે.

તાજેતરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આશરે 50 થી વધુ નાની-મોટી હાઉસીંગ કોલોનીઓ કે જે અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ છે, જેમાં મોટાભાગની કોલોનીઓ વર્ષો જુની છે અને રિડવલપમેન્ટની મુખ્ય શરત મુજબ જર્જરીત છે, એમાંય કેટલીક તો સાવ જર્જરીત અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું છે.હાઉસીંગ બોર્ડ દ્વારા મોટેભાગે 75 ટકા સંમતિ જમા કરાવ્યા બાદ ટેન્ડરીંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે ત્યારબાદ બિલ્ડર દ્વારા આગળની કામગીરી કરવામાં આવે છે.પરંતુ આ 50 હાઉસીંગ કોલોનીઓ કે જે હાઉસીંગ આંતરિક સર્વે બાદ બહાર આવ્યું છે કે ખૂબ જ જર્જરીત છે, લોકો જીવન જોખમે વસી રહ્યા છે ત્યારે હાઉસીંગ બોર્ડ દ્વારા પોતાની માવતર તરીકેને ફરજ ન ચુકીને સીધા ટેન્ડર કરીને લોકોને રિડેવલમેન્ટમાં લઈ જવાનો પ્રયાસ કરી લોકોના જીવના સુરક્ષાને લઈને વિચારવું…બાબતને લોકો શંકાની દ્વષ્ટિએ જોઈ રહ્યાં છે.

સૌ પ્રથમ તમને જણાવી દઈએ કે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા આવી સોસાયટીઓને લેખિત નોટિસ પણ આપવામાં આવી છે અને તેમાં 3 અલગ અલગ વિકલ્પ પણ આપેલ છે તેવું જાણવા મળેલ છે. 1. રિડેવલપમેન્ટ કરાવવું 2. હયાત સભ્યોએ મકાન અને બ્લોક સમારકામ કરી ભયજનકમાંથી રહેવાલાયક બનાવી દેવું 3. સત્તાની રુએ સ્થાનિક અમલીકરણ સંસ્થા કચેરીને જાણ કરી કાયદાકીય કાર્યવાહી આગળ કરવાની તજવીજ લેવામાં આવશે.

તાજેતરમાં જામનગરમાં જર્જરીત ફ્લેટના બ્લોક પડી જવાથી થયેલ જાનહાની જેવી ઘટનાઓને ટાળવા માટે બોર્ડ દ્વારા ઉપકારકારક કાર્યવાહી આગોતરા કરી સમય બચાવ સાથે ભયજનક કોલોનીઓમાં વસતા રહીશોના પરિવારોની સુરક્ષા માટે ટેન્ડરીંગનું પગલું ભરેલ છે. જેમાં કેટલા બિલ્ડર્સ રસ દાખવે છે તેની જાણ થાય તેમજ આવનારા બિલ્ડર્સની હાલમાં ફક્ત ટેકનિકલ ક્ષમતા બીડ ચકાસણી જ કરવામાં આવશે, નાણાંકીય ક્ષમતા બીડ ખોલવામાં આવશે નહિ તેની બંધ બીડ જ રહેશે. જે ટેન્ડર પ્રકાશિત કરતા પહેલાની સોસાયટી લેવલે થતી નિયમ મુજબની સંમતિ કાર્યવાહી કર્યા બાદ જ ખોલવામાં આવશે અને નાણાંકીય બીડમાં યોગ્યતા ધારાધોરણ મુજબ પસંદ થનાર બિલ્ડરને LOA આપવામાં આવશે એવું હાઉસીંગના સુત્રો જણાવી રહ્યાં છે.

હાઉસીંગ આગેવાનોના મત મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા સાવચેતીના ભાગ રૂપે જાહેર કરાયેલ અનેક સોસાયટીના ટેન્ડર બાબત ફક્ત એવું જણાવી રહ્યા છે કે સરકારી સંસ્થા દ્વારા જનહિતમાં ઉપરોક્ત ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. સમયના બચાવને લઈને સમગ્ર કામગીરીને ખોટી રીતે વર્ણવી શકાય નહીં.ભયજનક સોસાયટીઓ માટે ગુ.હા.બોર્ડ ની આ ખૂબ સારી પહેલ છે બાકી જે સોસાયટીઓ ભયજનક નથી તેઓ વર્ષોથી રિડેવલોપમેન્ટ કરાવવા મથી રહી છે પણ હજી સુધી તેમના ટેન્ડર પ્રકાશિત થયા નથી. ક્યારેક જ આવા અવસર મળે છે માટે તક નો લાભ લેવો જોઈયે નહિ કે વિરોધ કરવો.

અન્ય એક હાઉસીંગના આગેવાને એક ઉદાહરણ ટાંકતા જણાવ્યું હતું કે કોઈ અર્ધ પાગલ કે પાગલ કોઈ પણ બાબતે લાઈટના મોટા થાંભલે ચડી જાય છે, પરંતુ તંત્ર એટલે ફાયર બ્રિગેડ, પોલીસ કે અન્ય સરકારી સંસ્થાઓ યેનકેન પ્રકારે આવા અર્ધ પાગલ કે પાગલ વ્યક્તિને બચાવવાના પ્રયાસ કરતું હોય છે, એમ હાઉસીંગ બોર્ડ દ્વારા કેટલાંક નાસમજ કે સ્વાર્થી લોકોના હિતને સાઈડમાં રાખીને ફકત મોટી સંખ્યામાં રહેલા રહીશોના હિત વિશે વિચારવું જોઈએ, બે-ચાર લોકોના વિરોધની વાતોને અવગણીને ફક્ત આવનાર સમયમાં કોઈ મોટી હોનારત સર્જાય એ પહેલા લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને રિડેવલપમેન્ટની કાર્યવાહીમાં આગળ વધવું જોઈએ.

અહીં અમો તમોને જણાવી દઈએ કે દરેક અમદાવાદ શહેરમાં જુદી જુદી હાઉસીંગ સોસાયટીએ ભૌગોલિક પરિસ્થિતિ અને ત્યાંના સભ્યોની હાલની પરિસ્થિતિ અને વિચારસરણી અલગ અલગ હોય છે. બોર્ડ દ્વારા સોસાયટી સોસાયટી દ્વારા અલગ અલગ વિચારસરણી મુજબ અલગ અલગ નિર્ણયો લેવા જોઈએ.ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા તાજેતરમાં જે ભયજનક લાગતી કોલોનીઓના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે, જે કેટલાંકને ગમ્યુ હશે, તો કેટલાંકને નહીં ગમ્યુ હોય, પરંતુ હાઉસીંગ બોર્ડ દ્વારા આગામી સમયમાં ફક્ત બહુમતી સભ્યોના જાેખમ અને સંભવિત ભવિષ્યની દુઘટનાઓ કઈ રીતે ટાળી શકાય એ બાબતે જ વિચારવું જાેઈએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...