Wednesday, January 14, 2026

BJP નું નવું સ્લોગન : અબ કી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર

spot_img
Share

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના પગલે અત્યારથી જ ભાજપ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. એક બાદ એક પાર્ટી મીટિંગ કરવામાં આવી રહી છે ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીઓ માટે BJP નું નવું સ્લોગન જાહેર કર્યું છે. “અબ કી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર…”

મીડિયા રિપોર્ટ મુજબ મંગળવારે BJP ની એક મહત્વની એક બેઠક મળી હતી. જે દરમ્યાન લોકસભાની ચૂંટણીઓને લઈને નવો નારો આપ્યો છે જે મુજબ ભાજપ દ્વારા આ વખતે પોતાનું સ્લોગન ‘અબકી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર’ અબ કી બાર 400 પાર, તીસરી બાર મોદી સરકાર સ્લોગન રખાયું છે. ટુંક જ સમયમાં તેની અધિકારીક જાહેરાત થઇ શકે છે. જો કે સુત્રો અનુસાર હાલ “સપને નહી હકીકત બુનતે હૈ, ઇસી લીયે સબ મોદી કો ચુનતે હૈ (सपने नहीं हकीकत बुनते हैं, इसलिए तो सब मोदी को चुनते हैं)” ના નારા વચ્ચે નેતાઓમાં મતમતાંતર છે.

તમને જણાવી દઈએ કે BJP હંમેશા પોતાના ક્રિએટીવ સ્લોગન દ્વારા લોકોનાં મનમાં છાપ છોડતું હોય છે. પછી તે અબકી બાર મોદી સરકાર હોય કે BJP નું અગ્રેસિવ કેમ્પેઇનિંગ ચાય પે ચર્ચા હોય કે પછી અબ કી બાર મોદી સરકાર હોય. પોતાના સ્લોગન દ્વારા તે સીધુ જ લોકોનાં મન મસ્તિષ્કમાં ઉતરી જાય છે.

BJP દ્વારા લોકસભાની તૈયારીઓ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. PM મોદીથી માંડીને BJP હાઇકમાન્ડનાં તમામ ઉચ્ચ નેતાઓ પોતાને સોંપાયેલી જવાબદારી અનુસાર સતત પોતાના વિસ્તાર અને વિસ્તારના કાર્યકર્તાઓ સાથે સતત સંપર્કમાં છે. અન્ય પક્ષો હજી તૈયારીઓ કરવા અંગે વિચારી રહ્યા છે ત્યારે BJP પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી ચુક્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...