Sunday, September 14, 2025

અમદાવાદીઓ બહારનું ખાતા પહેલા ચેતજો, આ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ ફૂડમાં મુખવાસમાંથી નીકળી ઇયળ

Share

Share

અમદાવાદ : અમદાવાદની વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટમાંથી વંદા અને ઇયળો જેવા જીવજંતુઓ નીકળવાની ઘટના હવે સામાન્ય બની ગઈ છે. દિન-પ્રતિદિન આવા કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં ફરી એકવાર જાણીતી રેસ્ટોરન્ટમાંથી ઈયળ નીકળવાનો મામલો સામે આવ્યો છે. ગ્રાહકે ઓનલાઈન મગાવેલા ફૂડ પાર્સલમાંથી જીવાત નીકળતા ગ્રાહક ચોંકી ઉઠ્યો હતો. આ મામલે રેસ્ટોરન્ટને જાણ કરતા પૈસા પાછા આપીને મામલો રફેદફે કરવા માટે કહ્યું હતું. જો કે આ મામલે તેઓએ ઓનેસ્ટ અને કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સરખેજ વિસ્તારમાં રહેતા એક ગ્રાહકે ઓનલાઇન ફૂડ એપ ઉપરથી પંજાબી થાળીનો ઓર્ડર કર્યો હતો. પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટમાંથી પંજાબી થાળી મંગાવી હતી. ઓનેસ્ટમાંથી આવેલા ભોજનમાં સાથે મુખવાસનું પેકેટ પણ આવ્યું હતું. નવા ઓનલાઈન ફૂડમાંથી જીવજંતુ કે અન્ય ચીજ-વસ્તુઓ નીકળવાની ઘટનાના પગલે તેઓએ પહેલા ભોજન ચેક કર્યું હતું. ત્યારે મુખવાસનું પેકેટ ખોલતાં તેમાંથી ઇયળ નીકળી હતી. આ મામલે તેઓએ ઓનેસ્ટ રેસ્ટોરન્ટનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી.આ મામલે રેસ્ટોરન્ટને જાણ કરતા પૈસા પાછા આપીને મામલો રફેદફે કરવા માટે કહ્યું હતું જો કે આ મામલે તેઓએ ઓનેસ્ટ અને કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે.

તમને જણાવી દઈએ કે અમદાવાદની વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટમાંથી વંદા અને ઇયળો જેવા જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ બનવા છતાં બેફામ વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય સાથે છેડછાડ કરી રહયા છે ત્યારે કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...