Friday, April 17, 2026

રિડેવલપમેન્ટ મુદ્દે હાઉસીંગ સોસાયટીઓના હોદ્દેદારો માલિકની જેમ વર્તે છે…!!

spot_img
Share

અમદાવાદ : મિર્ચી ન્યૂઝ દ્વારા ફરી એક વાર રિડેવલપમેન્ટને લઈને સ્પેશ્યલ રિપોર્ટ લઈને આવ્યા છે.રિડેવલપમેન્ટએ વિકાસ સાથે જૂના હયાત સભ્યો માટે વેલ્ફેર એટલે કે કલ્યાણકારી યોજના સ્વરૂપે છે. આ કલ્યાણકારી યોજનામાં સરકારી તંત્ર દ્વારા પ્રજા માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓને ધ્યાનમાં રાખી રિડેવલપમેન્ટ પોલીસી અને તેમાં કરેલ જરૂરી સુધારા મુજબ કાર્યવાહી હાથ ધરાય રહી છે. આ રિડેવલપમેન્ટ પોલીસીમાં કયાંક લોકો જોડાઈ રહ્યા છે તો કયાંક વિરોધ પણ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં જેટલી સોસાયટીઓ જોડાઈ છે એમાં મોટાભાગની MIG કે HIG સોસાયટીઓ જોડાઈ છે, પરંતુ ખરેખર જે લાભાર્થી છે, વાસ્તવમાં જર્જરીત અવસ્થામાં છે, એ લોકો ભયમાં જીવી રહ્યા છે, ગમે ત્યારે દૂર્ઘટના ઘટી શકે છે એવી અનેક એલઆઈજી કે ઈડબલ્યુએસ જેવી સોસાયટીઓને લાભ મળી શકયો નથી.કારણ કે આ સોસાયટીઓમાં મોટેભાગે ઓછુ ભણેલ અને ગરીબ લોકો વસી રહ્યા છે. રિડવલપમેન્ટ વિશે ઓછી જાણકારી લોકોમાં છે.સ્થાનિક આગેવાનોની દોરવણીથી આવી સોસાયટીઓ ચાલી રહી છે. આવી સોસાયટીઓમાં સૌ પ્રથમ રિડેવલપમેન્ટ પોલીસીનો લાભ લેવો જોઈએ.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં નવા વાડજ, સોલા, નારણપુરા અને પૂર્વના વિસ્તારોમાં 50 થી વઘુ હાઉસીંગ સોસાયટીઓ જર્જરીત જાહેર કરાઈ છે જેમાં મોટાભાગની સોસાયટીઓના હાઉસીંગ બોર્ડ દ્વારા ટેન્ડર પણ બહાર પડાઈ ગયા છે.પરંતુ આજે વાત કરીશું નવા વાડજના હરીઓમ એપાર્ટમેન્ટ, ગગનવિહાર એપાર્ટમેન્ટ તથા સોલાના ગણેશ એપાર્ટમેન્ટ, શિવાલય એપાર્ટમેન્ટ અને શ્રીનગર એપાર્ટમેન્ટના રિડેવલમેન્ટ વિશે, આ તમામ એલઆઈજી ટાઈપના ફલેટ છે, જે ખૂબ જ જર્જરીત અવસ્થામાં છે, જયાંથી અવારનવાર છતના પોપડા પડ્યા, સ્લેબ તુટયા, દિવાલ ધરાશયી થઈ વગેરેની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની ચુકી છે.જેને લઈને હાઉસીંગ બોર્ડ દ્વારા અમદાવાદના એકતા કે જામનગર જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે હાઉસીંગ બોર્ડ દ્વારા અગમચેતી રીતે પ્રાથમિક દ્રષ્ટીએ જર્જરીત આ સોસાયટીઓના રિડેવલપમેન્ટ માટેના ટેન્ડર પાડવામાં આવેલ છે તથા રહીશોને નોટીસ પણ આપવામાં આવેલ છે અને તે માટેના જરૂરી 3 વિકલ્પો આપવામાં આવેલ છે. જેમાં રિપેરીંગ કરાવી લેવું અથવા રિડેવલપમેન્ટમાં જોડાઈ જવું વગેરે જણાવ્યું છે.

તેમ છતાં આ સોસાયટીઓમાં ચેરમેન સેક્રેટરીઓ, મુખ્ય આગેવાનો કે માથાભારે વ્યક્તિઓ કે હોદ્દેદારો પોતાના અંગત સ્વાર્થને પોસવા હાઉસીંગ રિડેવલપમેન્ટ પોલીસી બહારની માંગણીઓને લઈ કામ થવા દેતા નથી, તેમજ જરૂરિયાતવાળા સ્થાનિક રહીશોને ખોટી લાલચ, પ્રલોભન કે વાયદા કરી ભ્રમ ફેલાવે છે. જેવા કે એક રૂમ રસોડા સામે 2bhk કે 3bhk અપાવીશું. આવી અશકય વાતો ફેલાવી જેમતેમ કરીને રિડેવલમેન્ટ અટકાવી રહ્યા છે જયારે બહુમત રહીશો જે જીવના જોખમે રહી રહ્યા છે તેઓ રિડેવલપમેન્ટની તરફેણમાં છે એવા લોકોની વાત ગણકારવવામાં આવતી નથી.

જેથી બીજુ મોટુ કે અન્ય લાલચો અપાવવાની વાતો કરનારા જે સમયે તમારા ઘરે તકલીફ આવી પડશે ત્યારે એકેય સાથ નહીં આપે.આવા કહેવાતા સોસાયટીના આગેવાનોથી ચેતજો, ક્યારેય આવા વિલનોને કારણે નિર્દોષ રહીશો ભોગ બની જશે. સોસાયટીમાં જો કોઈ આગેવાન રિડેવલપમેન્ટ માટે ખોટી અફવાઓ કે વાતો કરે છે તે પાછળ તેમની સ્વાર્થ શું છે તે જાણવો. આવી પરિસ્થિતિમાં મકાનધારકે પોતાની બુદ્ધિ વાપરે તે જરૂરી છે અને તે માટે ગુ.હા.બોર્ડ ની કચેરીએ તપાસ કરી સાચી માહિતી મેળવી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...