Tuesday, October 14, 2025

રિડેવલપમેન્ટ મુદ્દે હાઉસીંગ સોસાયટીઓના હોદ્દેદારો માલિકની જેમ વર્તે છે…!!

Share

અમદાવાદ : મિર્ચી ન્યૂઝ દ્વારા ફરી એક વાર રિડેવલપમેન્ટને લઈને સ્પેશ્યલ રિપોર્ટ લઈને આવ્યા છે.રિડેવલપમેન્ટએ વિકાસ સાથે જૂના હયાત સભ્યો માટે વેલ્ફેર એટલે કે કલ્યાણકારી યોજના સ્વરૂપે છે. આ કલ્યાણકારી યોજનામાં સરકારી તંત્ર દ્વારા પ્રજા માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓને ધ્યાનમાં રાખી રિડેવલપમેન્ટ પોલીસી અને તેમાં કરેલ જરૂરી સુધારા મુજબ કાર્યવાહી હાથ ધરાય રહી છે. આ રિડેવલપમેન્ટ પોલીસીમાં કયાંક લોકો જોડાઈ રહ્યા છે તો કયાંક વિરોધ પણ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં જેટલી સોસાયટીઓ જોડાઈ છે એમાં મોટાભાગની MIG કે HIG સોસાયટીઓ જોડાઈ છે, પરંતુ ખરેખર જે લાભાર્થી છે, વાસ્તવમાં જર્જરીત અવસ્થામાં છે, એ લોકો ભયમાં જીવી રહ્યા છે, ગમે ત્યારે દૂર્ઘટના ઘટી શકે છે એવી અનેક એલઆઈજી કે ઈડબલ્યુએસ જેવી સોસાયટીઓને લાભ મળી શકયો નથી.કારણ કે આ સોસાયટીઓમાં મોટેભાગે ઓછુ ભણેલ અને ગરીબ લોકો વસી રહ્યા છે. રિડવલપમેન્ટ વિશે ઓછી જાણકારી લોકોમાં છે.સ્થાનિક આગેવાનોની દોરવણીથી આવી સોસાયટીઓ ચાલી રહી છે. આવી સોસાયટીઓમાં સૌ પ્રથમ રિડેવલપમેન્ટ પોલીસીનો લાભ લેવો જોઈએ.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં નવા વાડજ, સોલા, નારણપુરા અને પૂર્વના વિસ્તારોમાં 50 થી વઘુ હાઉસીંગ સોસાયટીઓ જર્જરીત જાહેર કરાઈ છે જેમાં મોટાભાગની સોસાયટીઓના હાઉસીંગ બોર્ડ દ્વારા ટેન્ડર પણ બહાર પડાઈ ગયા છે.પરંતુ આજે વાત કરીશું નવા વાડજના હરીઓમ એપાર્ટમેન્ટ, ગગનવિહાર એપાર્ટમેન્ટ તથા સોલાના ગણેશ એપાર્ટમેન્ટ, શિવાલય એપાર્ટમેન્ટ અને શ્રીનગર એપાર્ટમેન્ટના રિડેવલમેન્ટ વિશે, આ તમામ એલઆઈજી ટાઈપના ફલેટ છે, જે ખૂબ જ જર્જરીત અવસ્થામાં છે, જયાંથી અવારનવાર છતના પોપડા પડ્યા, સ્લેબ તુટયા, દિવાલ ધરાશયી થઈ વગેરેની અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની ચુકી છે.જેને લઈને હાઉસીંગ બોર્ડ દ્વારા અમદાવાદના એકતા કે જામનગર જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે હાઉસીંગ બોર્ડ દ્વારા અગમચેતી રીતે પ્રાથમિક દ્રષ્ટીએ જર્જરીત આ સોસાયટીઓના રિડેવલપમેન્ટ માટેના ટેન્ડર પાડવામાં આવેલ છે તથા રહીશોને નોટીસ પણ આપવામાં આવેલ છે અને તે માટેના જરૂરી 3 વિકલ્પો આપવામાં આવેલ છે. જેમાં રિપેરીંગ કરાવી લેવું અથવા રિડેવલપમેન્ટમાં જોડાઈ જવું વગેરે જણાવ્યું છે.

તેમ છતાં આ સોસાયટીઓમાં ચેરમેન સેક્રેટરીઓ, મુખ્ય આગેવાનો કે માથાભારે વ્યક્તિઓ કે હોદ્દેદારો પોતાના અંગત સ્વાર્થને પોસવા હાઉસીંગ રિડેવલપમેન્ટ પોલીસી બહારની માંગણીઓને લઈ કામ થવા દેતા નથી, તેમજ જરૂરિયાતવાળા સ્થાનિક રહીશોને ખોટી લાલચ, પ્રલોભન કે વાયદા કરી ભ્રમ ફેલાવે છે. જેવા કે એક રૂમ રસોડા સામે 2bhk કે 3bhk અપાવીશું. આવી અશકય વાતો ફેલાવી જેમતેમ કરીને રિડેવલમેન્ટ અટકાવી રહ્યા છે જયારે બહુમત રહીશો જે જીવના જોખમે રહી રહ્યા છે તેઓ રિડેવલપમેન્ટની તરફેણમાં છે એવા લોકોની વાત ગણકારવવામાં આવતી નથી.

જેથી બીજુ મોટુ કે અન્ય લાલચો અપાવવાની વાતો કરનારા જે સમયે તમારા ઘરે તકલીફ આવી પડશે ત્યારે એકેય સાથ નહીં આપે.આવા કહેવાતા સોસાયટીના આગેવાનોથી ચેતજો, ક્યારેય આવા વિલનોને કારણે નિર્દોષ રહીશો ભોગ બની જશે. સોસાયટીમાં જો કોઈ આગેવાન રિડેવલપમેન્ટ માટે ખોટી અફવાઓ કે વાતો કરે છે તે પાછળ તેમની સ્વાર્થ શું છે તે જાણવો. આવી પરિસ્થિતિમાં મકાનધારકે પોતાની બુદ્ધિ વાપરે તે જરૂરી છે અને તે માટે ગુ.હા.બોર્ડ ની કચેરીએ તપાસ કરી સાચી માહિતી મેળવી શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...