Wednesday, January 14, 2026

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વિધી સંપન્ન, જાણો આરતી-ભોગ અને આરામનો સમય, A TO Z માહિતી

spot_img
Share

અયોધ્યા : અયોધ્યાના શ્રી રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને અભિષેક સમારોહ સંપન્ન થયો અને આ સાથે જ ભક્તોને રામલલાની પ્રથમ ઝલક જોવા મળી છે. આ સાથે જ દેશવાસીઓનું અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું 500 વર્ષ જૂનું સપનું પણ સાકાર થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યજમાનીમાં આ વિધી સંપન્ન થઈ. નવનિર્મિત ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાની નવી મૂર્તિના ધાર્મિક વિધિથી અભિષેક કર્યા બાદ રામ લલ્લા દરરોજ તેમના ભક્તોને દર્શન આપશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે આ અંગે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી છે. જેમાં રામ લલ્લાના દર્શનના સમય સહિત સૂવા અને જાગવા, સ્નાન, શ્રૃંગાર, પ્રસાદ વગેરેનો પણ ઉલ્લેખ છે.અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ એટલે કે 23 જાન્યુઆરીથી રામ મંદિરમાં રામલલાની પૂજા કરવાના નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તેના આધારે ભગવાનના રોજ ભજન-પૂજા, શ્રૃંગાર-દર્શન વગેરે થશે. આ માટે શ્રી રામોપાસના નામનો કોડ પણ બનાવવામાં આવ્યો છે.

દરરોજ સવારે 3 વાગ્યાથી ભગવાન રામની પૂજા અને શણગારની તૈયારીઓ થશે. ગર્ભગૃહની સફાઈ કરવામાં આવશે. આ પછી 4 વાગ્યે રામલલાની બંને મૂર્તિઓ અને શ્રીયંત્રને મંત્રોચ્ચાર સાથે જગાડવામાં આવશે. ત્યારપછી મૂર્તિઓના અભિષેક અને શણગાર બાદ અર્પણ કરવામાં આવશે. આ પછી મંગળા આરતી થશે. આ કામ 4:30 થી 5 સુધીમાં પૂર્ણ થશે.

દરરોજ સવારે 8 વાગ્યાથી ભગવાન રામના દર્શન થશે. લગભગ બપોરે 1 વાગ્યા સુધી સતત દર્શન થઈ શકશે. આ પછી મધ્યાહન ભોગ આરતી થશે. ત્યારબાદ બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. આ સમય દરમિયાન ભગવાન આરામ કરશે. ત્યારબાદ બપોરે 3 થી 10 વાગ્યા સુધી ભગવાન રામના અવિરત દર્શન કરી શકાશે. દરમિયાન સાંજે 7 કલાકે સાંજની આરતી થશે. આ દરમિયાન રામલલાને દર કલાકે ફળ અને દૂધ ચઢાવવામાં આવશે.

રામલલાના દર્શન, પૂજા, આરતી અને શણગાર સંબંધિત કેટલીક જૂની પરંપરાઓ ચાલુ રહેશે. આ અંતર્ગત નવા મંદિરમાં પણ રામ લલ્લાની પાંચ વખત આરતી, અઠવાડિયાના દિવસ પ્રમાણે તેમના ડ્રેસનો રંગ વગેરે જેવી પરંપરાઓ ચાલુ રહેશે. 1949માં દેખાયા શ્રી રામ લલ્લાના કપડાંનો રંગ હંમેશા દિવસ પ્રમાણે જ રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...