Tuesday, October 14, 2025

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા વિધી સંપન્ન, જાણો આરતી-ભોગ અને આરામનો સમય, A TO Z માહિતી

Share

અયોધ્યા : અયોધ્યાના શ્રી રામ મંદિરમાં રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા અને અભિષેક સમારોહ સંપન્ન થયો અને આ સાથે જ ભક્તોને રામલલાની પ્રથમ ઝલક જોવા મળી છે. આ સાથે જ દેશવાસીઓનું અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરનું 500 વર્ષ જૂનું સપનું પણ સાકાર થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યજમાનીમાં આ વિધી સંપન્ન થઈ. નવનિર્મિત ભવ્ય રામ મંદિરમાં રામ લલ્લાની નવી મૂર્તિના ધાર્મિક વિધિથી અભિષેક કર્યા બાદ રામ લલ્લા દરરોજ તેમના ભક્તોને દર્શન આપશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે આ અંગે કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપી છે. જેમાં રામ લલ્લાના દર્શનના સમય સહિત સૂવા અને જાગવા, સ્નાન, શ્રૃંગાર, પ્રસાદ વગેરેનો પણ ઉલ્લેખ છે.અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ એટલે કે 23 જાન્યુઆરીથી રામ મંદિરમાં રામલલાની પૂજા કરવાના નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તેના આધારે ભગવાનના રોજ ભજન-પૂજા, શ્રૃંગાર-દર્શન વગેરે થશે. આ માટે શ્રી રામોપાસના નામનો કોડ પણ બનાવવામાં આવ્યો છે.

દરરોજ સવારે 3 વાગ્યાથી ભગવાન રામની પૂજા અને શણગારની તૈયારીઓ થશે. ગર્ભગૃહની સફાઈ કરવામાં આવશે. આ પછી 4 વાગ્યે રામલલાની બંને મૂર્તિઓ અને શ્રીયંત્રને મંત્રોચ્ચાર સાથે જગાડવામાં આવશે. ત્યારપછી મૂર્તિઓના અભિષેક અને શણગાર બાદ અર્પણ કરવામાં આવશે. આ પછી મંગળા આરતી થશે. આ કામ 4:30 થી 5 સુધીમાં પૂર્ણ થશે.

દરરોજ સવારે 8 વાગ્યાથી ભગવાન રામના દર્શન થશે. લગભગ બપોરે 1 વાગ્યા સુધી સતત દર્શન થઈ શકશે. આ પછી મધ્યાહન ભોગ આરતી થશે. ત્યારબાદ બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે. આ સમય દરમિયાન ભગવાન આરામ કરશે. ત્યારબાદ બપોરે 3 થી 10 વાગ્યા સુધી ભગવાન રામના અવિરત દર્શન કરી શકાશે. દરમિયાન સાંજે 7 કલાકે સાંજની આરતી થશે. આ દરમિયાન રામલલાને દર કલાકે ફળ અને દૂધ ચઢાવવામાં આવશે.

રામલલાના દર્શન, પૂજા, આરતી અને શણગાર સંબંધિત કેટલીક જૂની પરંપરાઓ ચાલુ રહેશે. આ અંતર્ગત નવા મંદિરમાં પણ રામ લલ્લાની પાંચ વખત આરતી, અઠવાડિયાના દિવસ પ્રમાણે તેમના ડ્રેસનો રંગ વગેરે જેવી પરંપરાઓ ચાલુ રહેશે. 1949માં દેખાયા શ્રી રામ લલ્લાના કપડાંનો રંગ હંમેશા દિવસ પ્રમાણે જ રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...