Wednesday, April 29, 2026

અમદાવાદમાં પશુઓના અંતિમ સંસ્કાર માટે બનશે વિશિષ્ટ સ્મશાન, CNG સંચાલિત ભઠ્ઠી મૂકાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં પણ પોતાના ઘરમાં પાલતુ પ્રાણીઓને રાખતાં લોકોની સંખ્યા વધી રહી છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) પશુઓને સમર્પિત સ્મશાન બાંધવાનું નક્કી કર્યું છે. જ્યાં પાલતુ સહિતના પ્રાણીઓના અંતિમ સંસ્કાર કરી શકાશે. શહેરનું આ પ્રકારનું પહેલું સ્મશાન ગ્યાસપુર નજીક સૂએજ સ્લજ રેડિએશન પ્લાન્ટ પાસે નિર્માણ પામશે.

એક રિપોર્ટ મુજબ AMCની સ્ટેન્ડીંગ કમિટિએ આ અંગે 6 મહિના સુધી ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય લીધો. અને અંતે CNG સંચાલિત ભઠ્ઠીવાળા સ્મશાન બનાવવાની પ્રપોઝલને મંજૂરી આપી. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગ્યાસપુર નજીક સુએજ સ્લજ રેડીએશન પ્લાન્ટ પાસે CNG સંચાલિત સ્મશાન બનાવવામાં આવશે. શહેરનું આ પ્રથમ સ્મશાન હશે જ્યાં પાલતુ સહિતના પ્રાણીઓના અંતિમ સંસ્કાર કરી શકાશે.

AMCએ CNG સ્મશાનને 5 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવશે. જો કે આ સ્મશાનમાં પાલતુ સહિતના પ્રાણીઓના અંતિમ સંસ્કાર કરી શકાશે. સામાન્ય રીતે CNG ભઠ્ઠીમાં માનવ મૃતદેહને બળતા એકથી બે કલાક લાગે છે જ્યારે ગાય, ભેંસ, બળદ જેવા પ્રાણીઓના શબને બળતા 3 થી 4 કલાક લાગી શકે છે. પશુઓના મૃતદેહોને પિરાણા પાસે દફન કરવામાં આવે છે પરંતુ આ સ્મશાન બન્યા બાદ પશુઓના પણ અંતિમ સંસ્કાર થશે.

પશુ અબોલ પ્રાણી છે. કહેવાય છે કે પશુઓનું જીવન મનુષ્ય જીવનના વર્ષો જેટલું બહુ લાંબુ હોતુ નથી. ઘરે રાખવામાં આવતા પાલતુ પશુ થોડા સમય જ સાથે રહે છે છતાં એક સ્વજન જેવી માયા બંધાઈ જાય છે. અને આથી જ્યારે આ પાલતુ પશુનુ મૃત્યુ થાય ત્યારે તેમના સ્વજનની જેમ વિધિવત અંતિમ સંસ્કાર કરાતા વધુ શાંતિ જરૂર મળે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...