Wednesday, March 11, 2026

અમદાવાદમાં વ્યાજખોરોએ ફરીથી માથુ ઉચક્યું, વાસણામાં વધુ એક વેપારીની આત્મહત્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં વ્યાજખોરોએ ફરીથી માથુ ઉચક્યું હોય એમ લાગી રહ્યું છે. અમદાવાદના એક વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લેતા વ્યાજખોરો ફરીથી છાકટા બન્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.વાસણામાં ઘરઘંટીની દુકાન ધરાવતા વેપારીએ પોતાની જ દુકાનમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. આપઘાતના બીજા દિવસે દુકાનના ટેબલમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં 5 લોકોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વેપારીને આત્મહત્યા કરવા દુષપ્રેરિત કરવા બદલ પાંચ વ્યાજખોરો સામે ફરિયાદ નોધવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના વાસણામાં રહેતા એક વેપારી રજવાડું હોટેલ પાસે ઘરઘંટીનો લાગતો વ્યવસાય કરતા હતા. વિનોદભાઈ અવારનવાર પૈસાની જરૂર હોવાથી ઓળખીતા વ્યક્તિઓ પાસેથી વ્યાજે પૈસા લેતા હતા. આ વેપારીએ વ્યાજે લીધેલા નાણાં ચુકવી દીધા હોવા છતા વ્યાજખોરો પૈસા માટે વેપારીને હેરાન પરેશાન કરી રહ્યા હતા. એટલું જ નહી આરોપીઓ વેપારીને ધમકી આપી તેના ઘરેથી કાર પણ ઉઠાવી ગયા હતા.

ગત 5 એપ્રિલે સવારના સાડા ચાર વાગ્યે વેપારીએ કામ હોવાનું કહીને દુકાને ગયા હતા. જોકે, તેઓ પરત ન આવતા અને ફોન ન ઉઠાવતા તેમના પરિવારના સભ્યો દુકાને પહોંચ્યા ત્યારે દુકાન અંદરથી બંધ હતી. દુકાન ખોલીન અંદર જોતા વેપારીએ દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આપઘાત બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી

પોલીસને વેપારીએ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી છે જેને આધારે પોલીસે પાંચ વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે. હાલમાં પોલીસ આ વ્યાજખોરોની શોધ ચલાવી રહી છે. આરોપીઓની ધરપકડ બાદ ખરેખર શું હકીકત હતી તે સામે આવશે. થોડા સમય પહેલા વ્યાજખોરોના ત્રાસથી વેપારીઓથી લઈને અનેક લોકોએ આપઘાત કરતા ગુજરાત પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી હતી. જોકે ફરીથી તેમમે માથુ ઉચક્યું હોવાનું આ બનાવને પગલે જણાઈ રહ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...