Monday, November 17, 2025

અમદાવાદમાં વ્યાજખોરોએ ફરીથી માથુ ઉચક્યું, વાસણામાં વધુ એક વેપારીની આત્મહત્યા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં વ્યાજખોરોએ ફરીથી માથુ ઉચક્યું હોય એમ લાગી રહ્યું છે. અમદાવાદના એક વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લેતા વ્યાજખોરો ફરીથી છાકટા બન્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.વાસણામાં ઘરઘંટીની દુકાન ધરાવતા વેપારીએ પોતાની જ દુકાનમાં વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કરી લીધો હતો. આપઘાતના બીજા દિવસે દુકાનના ટેબલમાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં 5 લોકોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. વેપારીને આત્મહત્યા કરવા દુષપ્રેરિત કરવા બદલ પાંચ વ્યાજખોરો સામે ફરિયાદ નોધવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના વાસણામાં રહેતા એક વેપારી રજવાડું હોટેલ પાસે ઘરઘંટીનો લાગતો વ્યવસાય કરતા હતા. વિનોદભાઈ અવારનવાર પૈસાની જરૂર હોવાથી ઓળખીતા વ્યક્તિઓ પાસેથી વ્યાજે પૈસા લેતા હતા. આ વેપારીએ વ્યાજે લીધેલા નાણાં ચુકવી દીધા હોવા છતા વ્યાજખોરો પૈસા માટે વેપારીને હેરાન પરેશાન કરી રહ્યા હતા. એટલું જ નહી આરોપીઓ વેપારીને ધમકી આપી તેના ઘરેથી કાર પણ ઉઠાવી ગયા હતા.

ગત 5 એપ્રિલે સવારના સાડા ચાર વાગ્યે વેપારીએ કામ હોવાનું કહીને દુકાને ગયા હતા. જોકે, તેઓ પરત ન આવતા અને ફોન ન ઉઠાવતા તેમના પરિવારના સભ્યો દુકાને પહોંચ્યા ત્યારે દુકાન અંદરથી બંધ હતી. દુકાન ખોલીન અંદર જોતા વેપારીએ દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આપઘાત બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી

પોલીસને વેપારીએ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી છે જેને આધારે પોલીસે પાંચ વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે. હાલમાં પોલીસ આ વ્યાજખોરોની શોધ ચલાવી રહી છે. આરોપીઓની ધરપકડ બાદ ખરેખર શું હકીકત હતી તે સામે આવશે. થોડા સમય પહેલા વ્યાજખોરોના ત્રાસથી વેપારીઓથી લઈને અનેક લોકોએ આપઘાત કરતા ગુજરાત પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી હતી. જોકે ફરીથી તેમમે માથુ ઉચક્યું હોવાનું આ બનાવને પગલે જણાઈ રહ્યું છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...