Sunday, November 9, 2025

અમદાવાદમાં ગુનાખોરીએ માથુ ઉચક્યું ! છેલ્લા 2 દિવસમાં 4-4 હત્યાથી મચ્યો ખળભળાટ

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં દિવસે દિવસે ગુનાખોરી વધતી જઇ રહી છે. ચોરી, લૂંટ, હત્યા જાણે સામાન્ય બનતા જઇ રહ્યા છે. અમદાવાદમાં હત્યાના બનાવ બન્યા છે.છેલ્લા બે દિવસમાં નવરંગપુરા, દાણીલીમડા,વસ્ત્રાપુર અને કૃષ્ણનગરમાં જ હત્યાના ચાર બનાવ સામે આવ્યા છે. જેમાંથી બે હત્યાના બનાવોમાં નિર્દોશના જીવ ગયા છે. જે માત્ર ઝઘડો રોકવા માટે વચ્ચે પડ્યા હતા અને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.સતત વધી રહેલી હત્યાની ઘટનાને લઈ પોલીસ તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે.

દાણીલીમડામાં ઘરની બહાર શખ્સની હત્યા

દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિસ્મિલા હોટલની પાછળ બોમ્બે હોટલ પાસે ઝુબેર કુરેશી નામના 31 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી.ઝુબેર કુરેશી ઘરની બહાર બેઠો હતો, તે સમયે યુસુફઅલી સૈયદ નામનો યુવક ત્યાં આવ્યો હતો અને અગાઉ થયેલા બોલાચાલી ઝઘડાની અદાવત રાખી પોતાની પાસે રહેલા તિક્ષ્ણ હથિયારથી ઉપરાછાપરી હુમલા કર્યા હતા. જેના કારણે ઝુબેર કુરેશીનું મોત થયું હતું.

આ બાબતને લઈને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં રિહાનાબાનુ કુરેશીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. હત્યા કરનાર આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યુ કે મૃતક ઝુબેર સામે અલગ અલગ 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. અને તેને લાંબા સમયથી આરોપી સાથે તકરાર ચાલતી હતી. જોકે આ મામલે આરોપીની ધરપકડ કરી દાણીલીમડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નવરંગપુરામાં રીક્ષા ચાલકની સગીરે હત્યા કરી

પશ્ચિમ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં દુકાનદાર સાથે ઘર્ષણ કરનાર સગીર યુવકને સમજાવવા જતા રીક્ષા ચાલકની સગીરે હત્યા કરી છે. આશ્રમ રોડ ઉપર આવેલી સિટી ગોલ્ડ મલ્ટિપ્લેક્સની બાજુમાં શીતલ આઈસ્ક્રીમ પાર્લર પાસે જીતુ ઉર્ફે જીતેન્દ્ર દંતાણી નામનો રીક્ષા ચાલક રીક્ષા લઈને ઊભો હતો. તે સમયે આઈસ્ક્રીમ પાર્લર પર એક સગીરનુ હાજર કર્મી સાથે બોલાચાલી થતા જીતુ દંતાણીએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સગીરે શખ્સ સાથે ઝપાઝપી કરીને છરીના ઘા માર્યા હતા.

ઠક્કરનગરમાં મોટાભાઈના ઝઘડામાં નાનાભાઈની હત્યા

પૂર્વમાં ઠક્કરનગર નજીક કેવડાજીની ચાલીમાં હત્યાની ઘટના સામે આવી છે. કૃષ્ણનગર પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાઈ છે. મોટાભાઈના ઝઘડામાં વચ્ચે પડતા નાનાભાઈની હત્યા થઇ છે. ઠક્કરનગરના કેવડાજીની ચાલીમા બનાવ બન્યો છે. 23 વર્ષીય કુશ તોમરની 3 લોકોએ છરી મારી હત્યા કરી છે. કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વસ્ત્રાપુરમાં જૂથ અથડામણમાં મહિલાનું મોત
અમદાવાદના વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણની ઘટના બની હતી. રાધા કૃષ્ણ મંદિર મામલે એકજ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા લીલી બેન ભરવાડ નામની મહિલાનું મોત થયું હતું. જ્યારે છ લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...

ગિરનારની લીલી પરિક્રમા બંધ છતાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, એક જ દિવસની છૂટ આપો

જૂનાગઢ : હિંદુ ધર્મમાં આસ્થાનું કેન્દ્ર અને લાખો ભાવિકોની ભક્તિ સમાન ગિરનારની લીલી પરિક્રમા કમોસમી વરસાદને કારણે બંધ છતાં જૂનાગઢમાં લાખો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું...

ગિરનારથી મોટી ખબર, આ વર્ષે નહિ થાય લીલી પરિક્રમા, આ કારણે સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો

જુનાગઢ : ગિરનારની લીલી પરિક્રમા અંગે સૌથી મોટા સમાચાર આવ્યા છે. આખરે ગિરનાર લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે. વરસાદને કારણે પરિક્રમા રૂટ ખરાબ હોવાથી...

જન્મ-મરણના દાખલાને લઈને મોટો આદેશ, ડિજિટલ સિગ્નેચર ધરાવતા પ્રમાણપત્રો પુરાવા તરીકે માન્ય

ગાંધીનગર : રાજ્યમાં કાર્યરત તમામ સરકારી, અર્ધ-સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિગ્નેચર ધરાવતા જન્મ-મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકારવા...

I-PRAGATI ફરિયાદીને પોતાના કેસની અપડેટ હવે ઘરે બેઠા મળશે, પોલીસ સ્ટેશનના ચક્કરમાંથી મળી મુક્તિ

ગાંધીનગર : રાજ્યના નાગરિકોને પોતાના પોલીસ કેસ સંદર્ભે થયેલી પ્રગતિના અપડેટ મેળવવા માટે વારંવાર પોલીસ સ્ટેશનના ચક્કર ન લગાવવા પડે તેવા ઉદ્દેશ્ય સાથે રાજ્યના...

નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન, કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો? જાણો વિગતે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય...