Wednesday, January 7, 2026

અમદાવાદમાં ગુનાખોરીએ માથુ ઉચક્યું ! છેલ્લા 2 દિવસમાં 4-4 હત્યાથી મચ્યો ખળભળાટ

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં દિવસે દિવસે ગુનાખોરી વધતી જઇ રહી છે. ચોરી, લૂંટ, હત્યા જાણે સામાન્ય બનતા જઇ રહ્યા છે. અમદાવાદમાં હત્યાના બનાવ બન્યા છે.છેલ્લા બે દિવસમાં નવરંગપુરા, દાણીલીમડા,વસ્ત્રાપુર અને કૃષ્ણનગરમાં જ હત્યાના ચાર બનાવ સામે આવ્યા છે. જેમાંથી બે હત્યાના બનાવોમાં નિર્દોશના જીવ ગયા છે. જે માત્ર ઝઘડો રોકવા માટે વચ્ચે પડ્યા હતા અને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.સતત વધી રહેલી હત્યાની ઘટનાને લઈ પોલીસ તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે.

દાણીલીમડામાં ઘરની બહાર શખ્સની હત્યા

દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિસ્મિલા હોટલની પાછળ બોમ્બે હોટલ પાસે ઝુબેર કુરેશી નામના 31 વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી.ઝુબેર કુરેશી ઘરની બહાર બેઠો હતો, તે સમયે યુસુફઅલી સૈયદ નામનો યુવક ત્યાં આવ્યો હતો અને અગાઉ થયેલા બોલાચાલી ઝઘડાની અદાવત રાખી પોતાની પાસે રહેલા તિક્ષ્ણ હથિયારથી ઉપરાછાપરી હુમલા કર્યા હતા. જેના કારણે ઝુબેર કુરેશીનું મોત થયું હતું.

આ બાબતને લઈને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં રિહાનાબાનુ કુરેશીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. હત્યા કરનાર આરોપીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી તપાસ કરતા સામે આવ્યુ કે મૃતક ઝુબેર સામે અલગ અલગ 10 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. અને તેને લાંબા સમયથી આરોપી સાથે તકરાર ચાલતી હતી. જોકે આ મામલે આરોપીની ધરપકડ કરી દાણીલીમડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

નવરંગપુરામાં રીક્ષા ચાલકની સગીરે હત્યા કરી

પશ્ચિમ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં દુકાનદાર સાથે ઘર્ષણ કરનાર સગીર યુવકને સમજાવવા જતા રીક્ષા ચાલકની સગીરે હત્યા કરી છે. આશ્રમ રોડ ઉપર આવેલી સિટી ગોલ્ડ મલ્ટિપ્લેક્સની બાજુમાં શીતલ આઈસ્ક્રીમ પાર્લર પાસે જીતુ ઉર્ફે જીતેન્દ્ર દંતાણી નામનો રીક્ષા ચાલક રીક્ષા લઈને ઊભો હતો. તે સમયે આઈસ્ક્રીમ પાર્લર પર એક સગીરનુ હાજર કર્મી સાથે બોલાચાલી થતા જીતુ દંતાણીએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે સગીરે શખ્સ સાથે ઝપાઝપી કરીને છરીના ઘા માર્યા હતા.

ઠક્કરનગરમાં મોટાભાઈના ઝઘડામાં નાનાભાઈની હત્યા

પૂર્વમાં ઠક્કરનગર નજીક કેવડાજીની ચાલીમાં હત્યાની ઘટના સામે આવી છે. કૃષ્ણનગર પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાઈ છે. મોટાભાઈના ઝઘડામાં વચ્ચે પડતા નાનાભાઈની હત્યા થઇ છે. ઠક્કરનગરના કેવડાજીની ચાલીમા બનાવ બન્યો છે. 23 વર્ષીય કુશ તોમરની 3 લોકોએ છરી મારી હત્યા કરી છે. કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વસ્ત્રાપુરમાં જૂથ અથડામણમાં મહિલાનું મોત
અમદાવાદના વસ્ત્રાપુર ગામમાં જૂથ અથડામણની ઘટના બની હતી. રાધા કૃષ્ણ મંદિર મામલે એકજ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા લીલી બેન ભરવાડ નામની મહિલાનું મોત થયું હતું. જ્યારે છ લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...