Friday, November 28, 2025

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટે કહ્યુ, એક વાત સ્પષ્ટ છે કે પ્રશ્નપત્ર લીક થયું છે, પરીક્ષા રદ્દ કરવી તે અંતિમ ઉપાય

spot_img
Share

નવી દિલ્હી : મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET-2024 વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સોમવારે 8 જુલાઈએ 2 કલાક 20 મિનિટ સુધી સુનાવણી થઈ હતી. કોર્ટે NTAને ગેરરીતિઓનો લાભ ઉઠાવનારા ઉમેદવારોની માહિતી આપવા અને CBIને અત્યાર સુધીની તપાસ અંગે અપડેટ આપવા જણાવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે તે સ્પષ્ટ છે કે પરીક્ષાની પવિત્રતા પર અસર થઈ છે. જો વિદ્યાર્થીઓને પરીક્ષાના દિવસે પેપર મળ્યું હોય અને તે કંઠસ્થ હોય, તો તેનો અર્થ એ છે કે પેપર સ્થાનિક સ્તરે જ લીક થયું હતું. પરંતુ જો અમને ખબર ન હોય કે કેટલા વિદ્યાર્થીઓ સામેલ હતા, તો ફરીથી પરીક્ષાનો આદેશ આપવો પડશે.

કેસની આગામી સુનાવણી 11 જુલાઈએ થશે.સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે અમારે એ પણ જોવું પડશે કે પેપર કેવી રીતે લીક થયું. જો તે સોશિયલ મીડિયા દ્વારા થયું હોય, તો તેનો અર્થ એ થશે કે પેપર મોટા પાયે લીક થયું હતું. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અમે જાણવા માંગીએ છીએ કે પેપર સેટિંગની સમગ્ર પ્રક્રિયા શું છે. કેવી રીતે અને કોની સાથે પ્રિન્ટિંગ પ્રેસમાં મોકલવામાં આવી હતી. તે પ્રેસથી બેંકમાં કેવી રીતે મોકલવામાં આવ્યું હતું. જેનાથી પેપર ક્યાંથી લીક થયું તે શોધવામાં સરળતા રહેશે.

કોર્ટે કહ્યું કે પેપર લીક થયું છે, તેમાં કોઈ શંકા નથી. હવે જોવાનું એ રહે છે કે આ કેવી રીતે થયું અને કેટલી હદે. ચીફ જસ્ટિસે સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું હતું કે જો પરીક્ષા રદ કરવામાં નહીં આવે તો હેરાફેરી કરીને પાસ થયેલા વિદ્યાર્થીઓની ઓળખ કેવી રીતે થશે. તેમને શોધવા માટે શું કરવામાં આવ્યું છે?

ચીફ જસ્ટિસે સીબીઆઈને અત્યાર સુધીની તપાસ અંગે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો અને કહ્યું કે આ દરમિયાન તમે લોકો સાથે બેસીને સર્વસંમતિ પર પહોંચો. બંધારણીય બેન્ચની જેમ, અમે નોડલ એડવોકેટની નિમણૂક કરી શકીએ છીએ જેથી તે તમામ પક્ષકારોની લેખિત દલીલો એકત્રિત કરી શકે અને તેમને કોર્ટ સમક્ષ રજૂ કરી શકે. કોર્ટે કહ્યું કે અમે સરકાર પાસેથી જાણવા માંગીએ છીએ કે સરકારે લાભાર્થીઓની ઓળખ માટે અત્યાર સુધી શું કર્યું છે.

ચીફ જસ્ટિસે કહ્યું કે 67 વિદ્યાર્થીઓએ 100 ટકા માર્ક્સ મેળવ્યા છે. આપણે એ પણ સમજવું પડશે કે માર્ક્સ આપવાની પેટર્ન શું છે. કોર્ટે કહ્યું કે જો એકવાર માટે અમે માની લઈએ કે અમે પરીક્ષા રદ નથી કરતા, તો પછી છેતરપિંડીના લાભાર્થીઓને ઓળખવા માટે શું કરવામાં આવી રહ્યું છે.

મુખ્ય ન્યાયાધીશે મહેતાને કહ્યું કે તમે સરકારને પૂછો અને અમને જણાવો કે શું અમે સાયબર ફોરેન્સિક વિભાગમાં ડેટા એનાલિટિક્સ પ્રોગ્રામ દ્વારા શોધી શકતા નથી કારણ કે અમારે ઓળખવાની છે કે શું સમગ્ર પરીક્ષાને અસર થઈ છે. શું ખોટું કરનારાઓને ઓળખવું શક્ય છે? તે સંજોગોમાં તે વિદ્યાર્થીઓ માટે જ પુનઃપરીક્ષાનો આદેશ આપી શકાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...