Tuesday, September 16, 2025

અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મચારીઓ ફિલ્મી સ્ટાઇલમાં લૂંટાયા, લૂંટારૂઓએ 65 લાખની લૂંટ ચલાવી

Share

Share

અમદાવાદ : અમદાવાદમાં લૂંટનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. જ્યાં એલિસબ્રિજ પાસે આંગડીયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી 65 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. બે શખ્સોએ આંગડિયા પેઢીના બે કર્મચારીઓ પર એરગનથી ફાયરિંગ અને પિસ્તોલનો ગોદો મારી લૂંટ ચલાવી હતી. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના શહેરના એલિસબ્રિજ જીમખાના પાસે બુધવારે સાંજે લૂંટનો બનાવ બનવા પામ્યો હતો. સીજી રોડ પર આવેલી આર કાંતિલાલ આંગડિયા પેઢીના બે કર્મચારી જમાલપુર કલેક્શન માટે ગયા હતા. બંને રીક્ષામાં બેસીને જમાલપુરથી સીજી રોડ ઓફિસે જઈ રહ્યા હતા. રીક્ષા એલિસબ્રિજ જીમખાના પાસે પહોંચી ત્યારે બે શખ્સો એક વાહન પર આવ્યા હતા. આ શખ્સોએ રીક્ષા ચાલક અને આંગડીયા કર્મીની આંખમાં મરચાની ભૂકી નાખતા ચાલકે રીક્ષા રોકી હતી. બાદમાં બંને શખ્સોએ પેઢીના કર્મી પાસેથી બે બેગ ઝુંટવવાનો પ્રયાસ કર્યો હતો.

પેઢીના કર્મચારીઓએ લૂટારૂનો પ્રતિકાર કરતા લૂંટારૂ શખ્સોએ બંદૂક જેવુ હથિયાર બતાવીને ફાયરિંગ કરતા એક કર્મચારીને ઇજાઓ થઈ હતી. જેથી બંને શખ્સો 65 લાખ ભરેલા બે થેલામાંથી 40 લાખથી વધુની રકમ ભરેલો એક થેલો લૂંટીને ભાગી ગયા હતા. આ મામલે પોલીસને જાણ કરતા નવરંગપુરા, એલિસબ્રીજ અને ક્રાઇમ બ્રાંચનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં બંને કર્મીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ સાથે ઘટના અંગે પૂછપરછ કરી એલિસબ્રીજ પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...