Wednesday, March 4, 2026

અમદાવાદમાં 12 કલાકમાં 3 અકસ્માત, અખબારનગર પાસે વૃદ્ધ ચગદાઈ જતાં સ્થળે જ કરુણ મોત, એક્ટિવા ડૂચો બની ગયું !

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા 12 કલાકની અંદર જ અકસ્માતની ત્રણ ઘટના સામે આવી છે. જેમાં દાણીલીમડામાં ચાલીને જતાં યુવકને ટ્રકે અડફેટે લેતા મોત નીપજ્યું હતું. તો અખબારનગર પાસે એક્ટિવા લઈને જતાં વૃદ્ધને પાછળથી આવતી ટ્રકે ટક્કર મારતા વૃદ્ધ બે ભારે વાહનો વચ્ચે ચગદાઈ ગયા હતા. આ ઉપરાંત મોટેરા વિસ્તારમાં ટ્રકે અકસ્માત સર્જતા બે યુવક ગંભીર રીતે ઘાયલ હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ આજે સવારે અમદાવાદ શહેરમાં બેફામ રીતે ફરતી BRTSએ ફરી અકસ્માક સર્જ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા વાડજ વિસ્તારમાં BRTSએ અચાનક બ્રેક મારતા BRTS, એક્ટિવા અને ડમ્પર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે બસ અને ડ્રમ્પરની વચ્ચે એક્ટિવા ચાલક ફસાઈ ગયો હતો. આ ઘટનામાં એક્ટિવા ચાલક યુવક ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક અસરથી 108 મારફતે નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

બીજી ઘટનામાં અમદાવાદ શહેરના દાણીલીમડામાં કોઝી હોટલ પાસે ગઈકાલે (12 ઓગસ્ટ) રાતે 10:00 વાગ્યાની આસપાસ 44 વર્ષના કિશોર અશોકભાઈ ચતુર્વેદી કોઝી હોટલથી મોતીપુરા ચોકડી તરફ ચાલીને જઈ રહ્યો હતો. તે દરમિયાન મોતીપુરા ચોકડી તરફ જતાં રોડ પર બાપા સીતારામની મઢુલી પાસે બેફામ આવતી ટ્રકે તેને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ત્રીજી ઘટનામાં શહેરના મોટેરા વિસ્તારમાં પણ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની હડફેટમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્ટિલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માત કરનાર પણ મોટું વાહન જ હતું. ત્યારે શહેરના રસ્તાઓ પર ફરી રહેલાં મોટાં વાહનો પર અંકુશ ન હોવાના કારણે અકસ્માતો થઈ રહ્યા હોવાની પણ ચર્ચા છે.

શહેરમાં બેફામ દોડતાં ભારે વાહનોથી 12 કલાકની અંદર બે નિર્દોષ વ્યક્તિનાં મોત થયાં છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક માટેની સુફિયાણીઓ વાતો કરવામાં આવે છે. હાઈકોર્ટ દ્વારા જ્યારે ઉધડો લેવામાં આવે છે, ત્યારે લોકોને દેખાય તે પ્રમાણે અલગ-અલગ ડ્રાઇવના નામે થોડા દિવસ માટે કામગીરી થાય છે. ટ્રાફિક પોલીસની સમગ્ર વાત ભ્રામક હોવાનું સાબિત કરતા કિસ્સાઓ સામે આવ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...