Tuesday, October 14, 2025

વર્લ્ડ ક્રિકેટમાં વાગશે જય શાહનો ડંકો, ICCના નવા ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા

Share

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ ICCના નવા ચેરમેન બન્યા છે. જય શાહને ICCના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટી લેવામાં આવ્યા છે. જય શાહ હવે ગ્રેગ બાર્કલેની જગ્યા લેશે. જય શાહ ICCના સર્વોચ્ચ સ્થાન પર પહોંચનાર પાંચમાં ભારતીય છે. આ પહેલા જગમોહન ડાલમિયા, એન શ્રીનિવાસન, શરદ પવાર અને શશાંક મનોહર ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાનું સંચાલન કરી ચૂક્યા છે. તેઓ 1 ડિસેમ્બરના રોજ ICC અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના (ICC) નવા ચેરમેનની ચૂંટણી માટે 27 ઓગસ્ટે ઉમેદવારીની છેલ્લી તારીખ હતી. આ નક્કી સમય સુધીમાં જય શાહ સિવાય કોઈએ પણ આ પદ માટે ઉમેદવારી નોંધાવી નહોતી. બાદમાં ICC એક્ઝિક્યૂટિવ બોર્ડે જય શાહને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. 35 વર્ષના જય શાહ સૌથી યુવા ICCના ચેરમેન પણ બની ગયા છે.ICC ચેરમેન બે-બે વર્ષના ત્રણ કાર્યકાળ માટે પાત્ર ગણાય છે અને ન્યૂઝીલેન્ડના વકીલ ગ્રેગ બાર્કલેએ અત્યાર સુધીમાં 4 વર્ષ પૂર્ણ કરી લીધા છે. બાર્કલેને નવેમ્બર 2020માં ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતા. તેને 2022માં ફરી આ પદ માટે ચૂંટવામાં આવ્યા હતા.

ICCના નિયમો અનુસાર ચેરમેનની ચૂંટણીમાં 16 મત હોય છે અને હવે વિજેતા માટે 9 મતનો સાધારણ બહુમત જરૂરી છે. આ પહેલા ચેરમેન બનવા માટે નિવર્તમાનની પાસે બે-તૃતીયાંશ બહુમત હોવો જરૂરી હતો.ICCએ તાજેતરમાં કહ્યું હતું- વર્તમાન ડિરેક્ટરોએ હવે 27 ઓગસ્ટ 2024 સુધી આગામી અધ્યક્ષ માટે નામાંકન રજૂ કરવું પડશે અને જો એકથી વધુ ઉમેદવાર છે તો ચૂંટણી થશે અને નવા ચેરમેનનો કાર્યકાળ 1 ડિસેમ્બર 2024થી શરૂ થશે.

મીડિયા રિપોર્ટ મુજબ જો જય શાહ ICCના ચેરમેન બને છે તો DDCAના પ્રેસિડન્ટ રોહન જેટલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા સચિવ બની શકે છે. રોહન જેટલી છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોશિએશન સાથે જોડાયેલા છે. રોહન જેટલી પૂર્વ કેન્દ્રિય મંત્રી સ્વર્ગીય અરુણ જેટલીનો દિકરો છે. રિપોર્ટ મુજબ રોહન BCCI સચિવ બનવાની રેસમાં સૌથી આગળ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

દિવાળીના તહેવારોમાં એસ.ટી.ના મુસાફરોને રાહત, CM એ નવી 201 બસોને બતાવી લીલી ઝંડી

ગાંધીનગર : ગુજરાતમાં દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે એસ.ટી.બસનો ઉપયોગ કરતા પ્રવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...

ગુજરાત પોલીસને ‘હાઈટેક’ સફળતા : આ સિસ્ટમથી 9 મહિનામાં 80 ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

ગાંધીનગર : રાજ્યમાં વધતા ગુનાઓના ઉકેલ માટે પોલીસ પ્રશાસન આધુનિક ટેક્નોલોજી નો મહત્તમ ઉપયોગ કરી રહી છે, જેમાં આ વર્ષે નવ મહિનામાં 80 જેટલા...

વિદ્યાર્થીઓ આનંદો ! દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, કઈ તારીખથી થશે શરૂ અને ક્યારે થશે પૂરું?

ગાંધીનગર : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે 21 દિવસના દિવાળી વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ...

અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

ગાંધીનગર : ગાંધીનગરના સેક્ટર-24ના મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી રિંકલ વણઝારા નામની મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે. પોલીસે...

દિવાળીના તહેવારોને લઇ ખુશખબર, એસ.ટી નિગમ 2600 એકસ્ટ્રા બસો દોડાવશે, 5 લાખથી વધુ મુસાફરોને લાભ મળશે

ગાંધીનગર : આગામી દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મુસાફરોની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં 2600થી વધુ એક્સ્ટ્રા બસોનું...

ફેમસ યુનાઈટેડ વે માં ગરબામાં જાહેરમાં કિસ કરનાર NRI કપલે લેખિતમાં માફી માગી

વડોદરા : તાજેતરમાં વડોદરોના ફેમસ યુનાઈટેડ વે માં નવરાત્રીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા કપલે કિસ કરી હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો. એક અહેવાલ મુજબ,...

બેજવાબદાર ‘સરકારી બાબુઓ’ વિરુદ્ધ લાલ આંખ : ફોન ઉપાડવા માટે સરકારે પરિપત્ર કરવો પડ્યો

ગાંધીનગર : એકબાજુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો કથળી જ ચુકી છે. ત્યારે બીજી બાજુ રાજ્ય સરકારે પોતાની ફરજ પ્રત્યે બેજવાબદાર રહેતા સરકારી...

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...