Monday, March 2, 2026

વર્લ્ડ ક્રિકેટમાં વાગશે જય શાહનો ડંકો, ICCના નવા ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા

spot_img
Share

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ ICCના નવા ચેરમેન બન્યા છે. જય શાહને ICCના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટી લેવામાં આવ્યા છે. જય શાહ હવે ગ્રેગ બાર્કલેની જગ્યા લેશે. જય શાહ ICCના સર્વોચ્ચ સ્થાન પર પહોંચનાર પાંચમાં ભારતીય છે. આ પહેલા જગમોહન ડાલમિયા, એન શ્રીનિવાસન, શરદ પવાર અને શશાંક મનોહર ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાનું સંચાલન કરી ચૂક્યા છે. તેઓ 1 ડિસેમ્બરના રોજ ICC અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના (ICC) નવા ચેરમેનની ચૂંટણી માટે 27 ઓગસ્ટે ઉમેદવારીની છેલ્લી તારીખ હતી. આ નક્કી સમય સુધીમાં જય શાહ સિવાય કોઈએ પણ આ પદ માટે ઉમેદવારી નોંધાવી નહોતી. બાદમાં ICC એક્ઝિક્યૂટિવ બોર્ડે જય શાહને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. 35 વર્ષના જય શાહ સૌથી યુવા ICCના ચેરમેન પણ બની ગયા છે.ICC ચેરમેન બે-બે વર્ષના ત્રણ કાર્યકાળ માટે પાત્ર ગણાય છે અને ન્યૂઝીલેન્ડના વકીલ ગ્રેગ બાર્કલેએ અત્યાર સુધીમાં 4 વર્ષ પૂર્ણ કરી લીધા છે. બાર્કલેને નવેમ્બર 2020માં ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતા. તેને 2022માં ફરી આ પદ માટે ચૂંટવામાં આવ્યા હતા.

ICCના નિયમો અનુસાર ચેરમેનની ચૂંટણીમાં 16 મત હોય છે અને હવે વિજેતા માટે 9 મતનો સાધારણ બહુમત જરૂરી છે. આ પહેલા ચેરમેન બનવા માટે નિવર્તમાનની પાસે બે-તૃતીયાંશ બહુમત હોવો જરૂરી હતો.ICCએ તાજેતરમાં કહ્યું હતું- વર્તમાન ડિરેક્ટરોએ હવે 27 ઓગસ્ટ 2024 સુધી આગામી અધ્યક્ષ માટે નામાંકન રજૂ કરવું પડશે અને જો એકથી વધુ ઉમેદવાર છે તો ચૂંટણી થશે અને નવા ચેરમેનનો કાર્યકાળ 1 ડિસેમ્બર 2024થી શરૂ થશે.

મીડિયા રિપોર્ટ મુજબ જો જય શાહ ICCના ચેરમેન બને છે તો DDCAના પ્રેસિડન્ટ રોહન જેટલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા સચિવ બની શકે છે. રોહન જેટલી છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોશિએશન સાથે જોડાયેલા છે. રોહન જેટલી પૂર્વ કેન્દ્રિય મંત્રી સ્વર્ગીય અરુણ જેટલીનો દિકરો છે. રિપોર્ટ મુજબ રોહન BCCI સચિવ બનવાની રેસમાં સૌથી આગળ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...