Friday, November 28, 2025

વર્લ્ડ ક્રિકેટમાં વાગશે જય શાહનો ડંકો, ICCના નવા ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા

spot_img
Share

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ ICCના નવા ચેરમેન બન્યા છે. જય શાહને ICCના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટી લેવામાં આવ્યા છે. જય શાહ હવે ગ્રેગ બાર્કલેની જગ્યા લેશે. જય શાહ ICCના સર્વોચ્ચ સ્થાન પર પહોંચનાર પાંચમાં ભારતીય છે. આ પહેલા જગમોહન ડાલમિયા, એન શ્રીનિવાસન, શરદ પવાર અને શશાંક મનોહર ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થાનું સંચાલન કરી ચૂક્યા છે. તેઓ 1 ડિસેમ્બરના રોજ ICC અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે.

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના (ICC) નવા ચેરમેનની ચૂંટણી માટે 27 ઓગસ્ટે ઉમેદવારીની છેલ્લી તારીખ હતી. આ નક્કી સમય સુધીમાં જય શાહ સિવાય કોઈએ પણ આ પદ માટે ઉમેદવારી નોંધાવી નહોતી. બાદમાં ICC એક્ઝિક્યૂટિવ બોર્ડે જય શાહને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા. 35 વર્ષના જય શાહ સૌથી યુવા ICCના ચેરમેન પણ બની ગયા છે.ICC ચેરમેન બે-બે વર્ષના ત્રણ કાર્યકાળ માટે પાત્ર ગણાય છે અને ન્યૂઝીલેન્ડના વકીલ ગ્રેગ બાર્કલેએ અત્યાર સુધીમાં 4 વર્ષ પૂર્ણ કરી લીધા છે. બાર્કલેને નવેમ્બર 2020માં ICCના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતા. તેને 2022માં ફરી આ પદ માટે ચૂંટવામાં આવ્યા હતા.

ICCના નિયમો અનુસાર ચેરમેનની ચૂંટણીમાં 16 મત હોય છે અને હવે વિજેતા માટે 9 મતનો સાધારણ બહુમત જરૂરી છે. આ પહેલા ચેરમેન બનવા માટે નિવર્તમાનની પાસે બે-તૃતીયાંશ બહુમત હોવો જરૂરી હતો.ICCએ તાજેતરમાં કહ્યું હતું- વર્તમાન ડિરેક્ટરોએ હવે 27 ઓગસ્ટ 2024 સુધી આગામી અધ્યક્ષ માટે નામાંકન રજૂ કરવું પડશે અને જો એકથી વધુ ઉમેદવાર છે તો ચૂંટણી થશે અને નવા ચેરમેનનો કાર્યકાળ 1 ડિસેમ્બર 2024થી શરૂ થશે.

મીડિયા રિપોર્ટ મુજબ જો જય શાહ ICCના ચેરમેન બને છે તો DDCAના પ્રેસિડન્ટ રોહન જેટલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા સચિવ બની શકે છે. રોહન જેટલી છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોશિએશન સાથે જોડાયેલા છે. રોહન જેટલી પૂર્વ કેન્દ્રિય મંત્રી સ્વર્ગીય અરુણ જેટલીનો દિકરો છે. રિપોર્ટ મુજબ રોહન BCCI સચિવ બનવાની રેસમાં સૌથી આગળ જોવા મળી રહ્યો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...