Saturday, May 2, 2026

નવરાત્રિ સુધીમાં વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાત, નહીં તો લાઇસન્સ રદ કરો : ગુજરાત હાઈકોર્ટ

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં આજે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ફરી એકવાર નવરાત્રિ પહેલાં ટુ વ્હીલર વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાતપણે પહેરવાના નિયમોનું પાલન કરાવવા રાજ્ય સરકારને કડક નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે, દ્વિચક્રી વાહનચાલકો ત્રણ વખત હેલ્મેટના નિયમોનો ભંગ કરતાં પકડાય તો પછી આવા વાહનચાલકોનું લાઇસન્સ રદ કે સસ્પેન્ડ થવા જોઈએ.

હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે, દ્વિચક્રી વાહનચાલકો ત્રણ વખત હેલ્મેટના નિયમોનો ભંગ કરતાં પકડાય તો પછી આવા વાહનચાલકોનું લાઇસન્સ રદ કે સસ્પેન્ડ થવા જોઇએ. હવે નવરાત્રિ આવશે એટલે એવી માંગણી આવશે કે, નવરાત્રિ દરમ્યાન હેલ્મેટ પહેરવાના નિયમો હળવા કરો. પરંતુ નવરાત્રિના સમય દરમ્યાન જ સૌથી વધારે અકસ્માત નોંધાતા હોય છે. આ કેસની વધુ સુનાવણી તા.4 ઓકટોબરે રાખી હતી કે જેથી નવરાત્રિ પહેલાં કેટલું કામ થયુ તેનું વિશ્લેષણ કરી શકાય.

ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલે સરકારને માર્મિક ટકોર કરી કે, અગાઉ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હોવા છતાં હેલ્મેટના નિયમોનું કડકાઇથી પાલન કરાયું નથી. નાગરિકો હેલ્મેટ પહેરે તે માટે સરકાર અને તંત્રએ જાગૃતિ ઝુંબેશ ચલાવવી જોઇએ. જો હેલ્મેટ વગર કે ટ્રાફ્કિના નિયમોનો ભંગ કરતાં ઝડપાય તો તેમનું લાઇસન્સ સસ્પેન્ડ કે રદ કરવું જોઇએ. બાકી આ નિયમો કોઇ ગણકારે તેમ નથી. પૈસા તો બધા ભરવા તૈયાર છે પરંતુ નિયમોનું પાલન કોઈને કરવું નથી.

હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું હતું કે, કોઈપણ વાહનચાલક ટ્રાફ્કિના નિયમોનું ત્રણ વખત ઉલ્લંઘન કરે એટલે તેનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરો. એમ છતાં ન સુધરે તો પછી નિયમોના ઉલ્લંઘન બદલ છ મહિના માટે સસ્પેન્ડ કરો, એ પછી પણ જો વાહનચાલક ટ્રાફ્કિ નિયમોનું ઉલ્લંઘન કરે તો કાયમ માટે તેનું લાઇસન્સ સસ્પેન્ડ કે રદ કરો.

એએમસીને ખખડાવતા કહ્યું કે, ઓલમ્પિકની તૈયારીઓ કરો એ ઠીક છે પરંતુ લોકોની પાયાની બાબતોને પ્રાથમિકતા આપો. ટ્રાફ્કિ મેનેજમેન્ટ, રોડ-રસ્તા સહિતના વર્તમાન મુદ્દાઓને બારીકાઇથી નિરીક્ષણ કરો. એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, ટ્રાફ્કિ જંક્શનના 50 મીટર વિસ્તારમાં પાર્કિંગ બદલ દંડ પણ વસૂલાઈ રહ્યો છે. જેથી હાઈકોર્ટે તેમને પૂછયું હતું કે, શું તેઓએ જાતે ફ્લ્ડિ ઉપર જઈને જોયું છે? આ હકિકત નથી, કોઈ ફરક પડયો નથી.

ચીફ્ જસ્ટીસની ખંડપીઠે હળવી ટકોરમાં કહ્યું હતું કે, જ્યારે તેઓ હાઇકોર્ટ આવવા રોડ ઉપર નીકળે અને જંક્શન ઉપર પાંચ પોલીસ કર્મચારીઓ દેખાય એટલે તેઓ સમજી જાય છે કે, આજે ટ્રાફ્કિ સમસ્યા મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી ઉપર સુનાવણી છે. જો કોઈ નિરીક્ષણ કરવાવાળું ના હોય તો કામ થતું નથી. આ સમસ્યાના ટાળવા ટેક્નોલોજીનો ઉપયોગ જરૂરી છે. નીચલા લેવલે અનુશાસન જરૂરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...