Wednesday, March 4, 2026

અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે, GMDC ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રિ 2024નો શુભારંભ કરાવશે

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ નવરાત્રિના પ્રથમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવવાના છે. 3 ઓક્ટોબરના રોજ સવારે કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના 447 કરોડના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. સાંજે 5 વાગ્યે શાહીબાગ ખાતે નવી પોલીસ કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન કરશે. રાત્રે 8 વાગ્યે વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રિ 2024નો શુભારંભ ગૃહમંત્રી દ્વારા કરાવવામાં આવશે. બીજા દિવસે સાંજે માણસાના બીલોદરા ખાતે પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપશે અને મોડી સાંજે તેમના વતન ખાતે માતાજીની આરતી અને દર્શન કરશે.

આગામી 3 અને 4 ઓક્ટોબર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવવાના છે. જેમાં 3 ઓક્ટોબરે સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. સવારે એસજી હાઇવે પર કારગીલ પેટ્રોલ પંપ નજીક મેગા મેડિકલ કેમ્પમાં હાજરી આપશે. ત્યાર બાદ બાજુમાં નવા બનેલા વેજીટેબલ માર્કેટને ખુલ્લુ મુકશે. ભાડજ ખાતે નવી બનાવેલી નવી પ્રાથમિક શાળાનું પણ મુલાકાત લેશે. ભાડજ ખાતે ગાંધીનગર લોકસભા સહિત અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠકના 447 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.

સાંજે 5 વાગ્યે અમદાવાદમાં શાહીબાગ ખાતે બનાવવામાં આવેલી નવી પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરશે. કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન કર્યા બાદ રાત્રે 8 વાગ્યે GMDC ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવનો તેઓ દ્વારા કરાવવામાં આવશે. 3 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં જ વિવિધ કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે. આ ઉપરાંત રાત્રે અમદાવાદમાં વિભિન્ન વોર્ડમાં આયોજિત શેરી ગરબા મહોત્સવમાં નારણપુરા વોર્ડમાં, જોધપુર વોર્ડમાં અને મકરબા વોર્ડના ગરબામાં પણ તેઓ હાજર રહેવાના છે.

બીજા દિવસે ચાર ઓક્ટોબરના રોજ સાંજે માણસા તાલુકાના બિલોદરા ગામ ખાતે સ્કૂલમાં પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે માણસા નજીક આવેલા તેમના વતન ખાતે માતાજીની આરતી માં તેઓ હાજરી આપશે. તમને જણાવી દઈએ કે તેઓ નવરાત્રિમાં દર વર્ષે પરિવાર સાથે માતાજીના દર્શન કરવા જતા હોય છે. જેમાં આ વર્ષે પણ તેઓ પરિવાર સાથે કુળદેવીના દર્શન કરવા જવાના છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...