Tuesday, March 10, 2026

હવે રીક્ષાની મુસાફરી કરવી બનશે મોંઘી, 10 જૂનથી શું હશે મિનિમમ ભાડું ?

spot_img
Share

અમદાવાદ: ગુજરાતમાં રીક્ષામાં મુસાફરી કરવી મોંઘી બનશે. સરકારે રાજ્યમાં ઓટો રિક્શા માટે બે રૂપિયાનો વધારાને બુધવારે મંજૂરી આપી દીધી છે. રાજ્યના વાહન સંઘે ભાડામાં વધારાની માંગ કરી હતી. જોકે સંઘની માંગને ધ્યાનમાં રાખતાં સરકારે જાહેરાત કરી છે. પરિવહન મંત્રી પૂર્ણેશ મોદી અલગ-અલગ રિક્શા યુનિયનોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત બાદ જાહેરાત કરી હતી કે મિનિમન ભાડું હાલ 18 રૂપિયાથી વધારીને 20 રૂપિયા કરી દેવામાં આવ્યું છે, અને ત્યારબાદ દર કિલોમીટરનું હાલનું ભાડું 13 રૂપિયાથી વધારીને 15 રૂપિયા થઇ ગયું છે.

રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણશ મોદીએ કરેલા નિર્ણય અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં ગેસના ભાવ વધવાના કારણે રીક્ષા ચાલકોને દરરોજ 50 થી 60 રૂપિયાનું આર્થિક નુકશાન વેઠવું પડતું હતું. જોકે આજે રીક્ષા એસોસિયેશન સાથે થયેલી વાટાઘાટો બાદ લાખો રીક્ષા ચાલકો માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 10 જૂન 2022 થી રીક્ષા ભાડામાં મિનિમમ 1 કી. મી ના 20 રૂપિયા અને ત્યારબાદ પ્રત્યેક કી.મી. દીઠ 15 નું ભાડું વસુલવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...