Wednesday, March 4, 2026

નારણપુરાની આ સોસાયટીમાં જુગારધામ ઝડપાયું, બુટલેગર સહિત 18 જુગારીઓ ઝડપાયા

spot_img
Share

અમદાવાદ : શહેરના નારણપુરામાં આવેલી સંગીતા સોસાયટીમાં મકાન ભાડે રાખીને સરસપુરના એક લિસ્ટેડ બુટલેગરે શરૂ કરેલા જુગારના અડ્ડા પર ક્રાઇમબ્રાંચના સ્ટાફે દરોડો પાડીને 18 લોકોની ધરપકડ કરીને 1.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી હતી. આ કેસના મુખ્ય આરોપી વિરૂદ્ધ અત્યાર સુધીમાં જુગારના અનેક કેસ નોંધાઇ ચુક્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્ટાફને બાતમી મળી હતી કે મુળ સરસપુર કડીયાવાડમાં રહેતો અલ્પેશ પટેલ નારણપુરા અંકુર રોડ પર આવેલી સંગીતા સોસાયટીમાં આવેલા એક મકાનમાં બહારથી જુગારીઓને બોલાવીને કમિશન પર મોટા પ્રમાણમાં જુગાર રમાડે છે.ક્રાઇમબ્રાંચના સ્ટાફે દરોડો પાડીને 18 લોકોની ધરપકડ કરીને 1.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી હતી.તેમની પાસેથી પોલીસને રોકડ અને ફોન મળી આવ્યા છે. સોલા, સરદારનગર, શાહીબાગ, માધુપુરા, શાહપુર અને વાડજમાં જુગારના અડ્ડાથી લોકો પરેશાન છે.

ઝડપાયેલા જુગારીઓમાં અલ્પેશ ઉર્ફે ટોનો નરેશ પટેલ, ચિરાગ ઉર્ફે ચિન્ટુ રાજેશ પટણી, વિક્રમ સત્યપ્રકાશ કઢેરિયા,રાકેશ ઉર્ફે રાકલો મારવાડી, પાર્થ ઉર્ફે ભયલુ પરમાર, હિતેષ ઉર્ફે હિતિયો યાદવ, ભૂપેન્દ્ર કેશવલાલ જૈન, રાહુલ અલપેશભાઇ ચૌહાણ, વિશાલ વિષ્ણુંભાઇ પરાડિયા, બાબુ કિશનભાઇ મારવાડી, સુનિલ ત્રિકમલાલ જૈન, અશોક ઉર્ફે લખોટી રામચંદ્ર દંતાણી, મનિષ જાનકીપ્રસાદ બાજપાઇ, નિકુલ ખોડિદાસ પટેલ, હિતેશ મહેશભાઇ રાણા, અબ્લુલ રઝાક કુરેશી, હીરાભાઇ પરમાર, કરણ યોગેશભાઇ શાહનો સમાવેશ થાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...