Tuesday, January 20, 2026

નારણપુરાની આ સોસાયટીમાં જુગારધામ ઝડપાયું, બુટલેગર સહિત 18 જુગારીઓ ઝડપાયા

spot_img
Share

અમદાવાદ : શહેરના નારણપુરામાં આવેલી સંગીતા સોસાયટીમાં મકાન ભાડે રાખીને સરસપુરના એક લિસ્ટેડ બુટલેગરે શરૂ કરેલા જુગારના અડ્ડા પર ક્રાઇમબ્રાંચના સ્ટાફે દરોડો પાડીને 18 લોકોની ધરપકડ કરીને 1.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી હતી. આ કેસના મુખ્ય આરોપી વિરૂદ્ધ અત્યાર સુધીમાં જુગારના અનેક કેસ નોંધાઇ ચુક્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ ક્રાઇમબ્રાંચના સ્ટાફને બાતમી મળી હતી કે મુળ સરસપુર કડીયાવાડમાં રહેતો અલ્પેશ પટેલ નારણપુરા અંકુર રોડ પર આવેલી સંગીતા સોસાયટીમાં આવેલા એક મકાનમાં બહારથી જુગારીઓને બોલાવીને કમિશન પર મોટા પ્રમાણમાં જુગાર રમાડે છે.ક્રાઇમબ્રાંચના સ્ટાફે દરોડો પાડીને 18 લોકોની ધરપકડ કરીને 1.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી કરી હતી.તેમની પાસેથી પોલીસને રોકડ અને ફોન મળી આવ્યા છે. સોલા, સરદારનગર, શાહીબાગ, માધુપુરા, શાહપુર અને વાડજમાં જુગારના અડ્ડાથી લોકો પરેશાન છે.

ઝડપાયેલા જુગારીઓમાં અલ્પેશ ઉર્ફે ટોનો નરેશ પટેલ, ચિરાગ ઉર્ફે ચિન્ટુ રાજેશ પટણી, વિક્રમ સત્યપ્રકાશ કઢેરિયા,રાકેશ ઉર્ફે રાકલો મારવાડી, પાર્થ ઉર્ફે ભયલુ પરમાર, હિતેષ ઉર્ફે હિતિયો યાદવ, ભૂપેન્દ્ર કેશવલાલ જૈન, રાહુલ અલપેશભાઇ ચૌહાણ, વિશાલ વિષ્ણુંભાઇ પરાડિયા, બાબુ કિશનભાઇ મારવાડી, સુનિલ ત્રિકમલાલ જૈન, અશોક ઉર્ફે લખોટી રામચંદ્ર દંતાણી, મનિષ જાનકીપ્રસાદ બાજપાઇ, નિકુલ ખોડિદાસ પટેલ, હિતેશ મહેશભાઇ રાણા, અબ્લુલ રઝાક કુરેશી, હીરાભાઇ પરમાર, કરણ યોગેશભાઇ શાહનો સમાવેશ થાય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...