Sunday, January 18, 2026

ખ્યાતિ હોસ્પિટલમાં બનેલ ઘટનાને પગલે સરકારે લીધા આ 10 મોટા નિર્ણય, જાણો વિગત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી ઘટના સંદર્ભે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ઘટનાની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે મળેલી સમીક્ષા બેઠકમાં સમગ્ર ઘટનાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીશ્રી દ્વારા આ ઘટનામાં જવાબદાર કોઈને પણ છોડવામાં આવે નહીં અને આ હોસ્પિટલના માલિક, સંચાલકો, તબીબો સહિતના લોકો વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી.

તપાસ પ્રમાણે કડીના બોરીસણા ગામે જઈને કેમ્પ કર્યો અને 19 વ્યક્તિમાંથી 7 લોકોની બિનજરૂરી એન્જિયોપ્લાસ્ટી કરી દેવાઈ. તે પૈકી 2 લોકોના મોત થયા. જે 7 વ્યક્તિની એન્જિયોપ્લાસ્ટી કરી તેમના ઓપરેશનની જરૂર જ ન હતી. ખ્યાતિ હોસ્પિટલના જવાબદારો વિરૂદ્ધ ગુનાઈત-હત્યાના કાવતરાની ફરિયાદ નોંધવામાં આવશે.’ બે નિર્દોષના જીવ ગયા બાદ રાજ્ય સરકાર ઊંઘમાંથી જાગી છે અને એક બાદ એક કાર્યવાહી કરી રહી છે. પરંતુ પીડિતોનો પરિવારને વળતર અંગે સરકાર હજુ મૌન છે.

ખ્યાતિ હોસ્પિટલ સામે 10 મોટા નિર્ણય
અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું કે, ખ્યાતિ હોસ્પિટલની ઘટના પછી સરકારે ગુજરાતની તમામ હોસ્પિટલ માટે નીચે મુજબની જાહેરાતો કરી છે.
હોસ્પિટલને PMJAYથી બહાર કરાશે.
માલિક સામે પગલાં લેવામાં આવશે.
ડોક્ટર હવે માન્ય ડોક્ટર ગણવામાં આવશે નહીં.
યોગ્ય કાળજી ન લેવાના લીધે બે વ્યક્તિના મોત થયા છે એટલા માટે BNSની કલમ 105, 336, 361 હેઠળ રાજ્ય સરકાર પોલીસ ફરિયાદ કરશે.
ડોક્ટર સામે પગલાં લેવા મેડિકલ કાઉન્સિલને ફરિયાદ કરવામાં આવશે.
અગાઉના કેસ સામે તપાસ કરવામાં આવશે.
વ્યવસ્થા સુધારીકરણ કરવામાં આવશે.
કાર્ડિયોલોજી અને કાર્ડિયાક ફરજિયાત રહેશે, વિઝિટિંગ હશે તો PMJAY માન્યતા મળશે નહીં.
PMJAYનું મોનિટરિંગ કરવામાં આવશે.
પીડિત પરિવાર પ્રત્યે સરકાર દુઃખ વ્યક્ત કરે છે જેથી રાજ્ય સરકાર કડક પગલાં લેશે અને માળખાકીય સુવિધામાં સુધારો કરાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...