Sunday, January 18, 2026

મેમનગર વાળીનાથ ચોક પાસે સીએનજી BRTS બસમાં આગ લાગી, કોઈ જાનહાનિ નહિ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના 132 ફુટ રિંગ રોડ પર વાળીનાથ ચોક પાસે BRTS સીએનજી બસમાં આગની લાગી હતી. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં બે ગાડીઓ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગ પર કાબૂ મેળવવા ફાયરની ટીમના પ્રયાસો ચાલુ છે. બસમાં રહેલા પ્રવાસીઓ સમયસર નીચે ઉતરી ગયા હતા. કોઈ જાનહાનિ થઈ હોવાનું હજી સુધી સામે આવ્યું નથી. આગ લાગવાના પગલે લોકોના ટોળેટોળા ભેગા થઈ ગયા હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના મેમનગર વિસ્તારમાં વાળીનાથ ચોક પાસે આવેલા BRTS બસ સ્ટેન્ડ પાસે સીએનજી BRTS બસમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગવાના પગલે બસમાં રહેલા તમામ લોકો નીચે ઉતરી ગયા હતા. BRTS બસ એલ. ડી. એન્જિનિયરિંગથી ઝુંડાલ સર્કલ તરફ જઈ રહી હતી. તે દરમિયાન વાળીનાથ ચોક સ્ટેશન રેમ્પ પાસે બસમાં આગળના ભાગમાંથી ધુમાડા નીકળ્યા હતા. જેથી તાત્કાલિક ધોરણે બંને દરવાજા ખોલી દેવાયા હતા અને 45થી વધારે લોકો સહી સલામત બહાર નીકળી ગયા હતા.

સૌથી મહત્વની બાબત એ હતી કે જયારે BRTS બસમાં આગ લાગી હતી તે દરમિયાનમાં બાજુમાંથી એક ખાનગી લોડીંગ વાહન જેમાં પૂંઠા/પેપર વી. હતા. તેમાં પણ આગની જ્વાળા અડી જતા આગ લાગી હતી. ફાયર વિભાગ દ્વારા પૂંઠા ભરેલી ગાડીમાં પણ આગ લાગતા તેને બુઝવાવામાં આવી હતી. આગ લાગવાના કારણની તપાસ ચાલુ છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...