Friday, January 16, 2026

સુભાષ બ્રિજ સર્કલ પાસે મેગા ડિમોલિશન, કાચા-પાકા શેડ સહિત 25થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. સુભાષબ્રિજ સર્કલ પાસે આવેલા ટી.પી. રોડને ખોલવાની અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ગત શુક્રવારે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી હતી. સુભાષબ્રિજ સર્કલની સામે ગેરકાયદેસર રીતે દુકાનો અને પાનના ગલ્લા તેમજ ચાની દુકાનો સહિત 25થી વધુ દબાણો ઊભા કરી દેવાયા હતા. જેને તોડી પાડવામાં આવ્યા છે. છેલ્લા 5 વર્ષથી આ દબાણો દૂર કરવાની અને રોડ ખોલવાની કામગીરીના પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા. પોલીસ દ્વારા બંદોબસ્ત મળતા મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શુક્રવારે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સુભાષ બ્રિજ સર્કલ પાસે આવેલ મેટ્રોપિલરની નીચે અનેક દબાણો થઈ ગયા હતા. પાનના ગલ્લા સહિત નાના-મોટા કાચા પાકા શેડ અને બેથી ત્રણ ગેરકાયદેસર દુકાનો આવેલી હતી. જેને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. ટી.પી. રોડમાં ગેરકાયદેસર રીતે દબાણો કરી દેવામાં આવ્યા હતા. વર્ષોથી આ જગ્યા ઉપર દબાણો કરવામાં આવ્યા હતા. મેટ્રો પિલરની નીચેની જગ્યામાં એક રોડ સુધી દબાણ વધતાં જેના કારણે ત્યાં વાહનો રોડ ઉપર પાર્ક થતા હતા અને ટ્રાફિકની સમસ્યા થતી હતી.

પશ્ચિમ ઝોનના અલગ-અલગ વોર્ડના એસ્ટેટ વિભાગના વોર્ડ ઇન્સ્પેક્ટર અને સબ ઇન્સ્પેક્ટર સહિતની ટીમો ત્રણથી ચાર જેસીબી મશીન, કટર મશીન, હાઇડ્રોલિક ક્રેન સહિતના મશીનો અને મજૂરોની મદદથી આજે ગેરકાયદેસર બાંધકામો અને દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ દબાણો દૂર થયા બાદ ત્યાં તાત્કાલિક ધોરણે રોડ બનાવવાની કાર્યવાહી પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગ દ્વારા કરવામાં આવે જેના કારણે આ રોડ ઉપર થતા ટ્રાફિકની સમસ્યા ઝડપી દૂર થશે

ક્યાં-ક્યાં દબાણો દૂર કરાશે?

હરિ ૐ પાન પાર્લર એન્ડ કેફે
મહાકાલ પાન પાર્લર
જોકર ગાંઠિયા એન્ડ દ્વારકાધીશ ટી સ્ટોલ
મા પાન પાર્લર
મહાકાળી પરોઠા હાઉસ
N K ટ્રાવેલ્સ
D MALL ફેશન શો દુકાન
R K kalyan ફેશન
પટેલ ભજીયા હાઉસ & નાસ્તા હાઉસ
માજીસા રેસ્ટોરન્ટ
આઇકોનીક પાન પાર્લર
વિષ્ણુ મટકા એન્ડ પોર્ટ હાઉસ
ગણેશ માટીની મૂર્તિ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...