Saturday, January 24, 2026

SG હાઈવે પર બે સાયક્લિસ્ટ તબીબને ટક્કર મારીને ભાગી જનારો પકડાયો

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં સોલા બ્રિજ પર સાયક્લિસ્ટોની રેલીમાં બે સાયકલ સવારોને ટક્કર મારીને અકસ્માત સર્જવાની ઘટનામાં અદમવાદા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. સમગ્ર ઘટના બાદ એક અઠવાડિયાથી આરોપીને શોધવાની પોલીસની મહેનત રંગ લાવી છે. પોલીસે ફરાર કાર ચાલક 29 વર્ષીય યુવકની આખરે ધરપકડ કરી લીધી છે. છારોડી ખાતે રહેતા પરમ ઉદયકુમાર વોરાની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, તારીખ 23 નવેમ્બરના રોજ અમદાવાદ ગુજરાત હાઇકોર્ટ પાસે આવેલા ફ્લાયઓવર ઉપર તાજેતરમાં એક કારચાલકે વહેલી સવારે સાઇક્લિંગ માટે નીકળેલાં લોકોને અડફેટે લીધાં હતાં, જેમાં ડોક્ટર પણ સામેલ હતાં. ત્યારે લોકોમાં હવે જાગૃતિ લાવવા વિવિધ સાઇક્લિંગ ગ્રુપ દ્વારા અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સવારે 6.30 કલાકે ગોટીલા ગાર્ડનથી નીકળી હતી, જે વૈષ્ણોદેવી સર્કલથી યુ ટર્ન મારીને પકવાન ચાર રસ્તા પાસે સમાપ્ત થઈ હતી.આ રેલીમાં 200 કરતાં પણ વધુ અલગ અલગ ગ્રુપના સાઇક્લિસ્ટ્સ જોડાયા હતા. આ દરમિયાન સાઇક્લિસ્ટ સ્લોગન અને બેનર સાથે લોકોને જાગ્રત કરવા પ્રયત્ન કર્યો હતો.જેમાં સાયકલિંગ કરતા તબીબ મિત્રોને એક એસયુવી કારે જોરદાર ટક્કર મારી હતી, અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ટક્કરમાં બે સાયકલ સવાર ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે અમદાવાદ પોલીસ અકસ્માત બાદથી કારચાલકની શોધ કરી રહી હતી, આખરે પોલીસને સફળતા મળી.

ટેક્નિકલ સર્વેલન્સ અને 100 થી વધુ CCTV ફુટેજની ઝીણવટભરી તપાસ બાદ અકસ્માત કરનાર યુવક ઝડપાયો છે. પોલીસ તપાસમાં યુવક નશો કરેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. બનાવ પહેલા પરમ અને તેના અન્ય મિત્રોએ વસ્ત્રાપુરની સોસાયટીમાં દારૂની પાર્ટી કરી હતી. વહેલી સવારે તમામ મિત્રો સોસાયટીમાંથી નીકળતા CCTV માં નજરે પડ્યા હતા.

અકસ્માત કરનાર ગાડીના અધૂરા નંબર, મોબાઈલ લોકેશન અને CCTV ફૂટેજના આધારે પોલીસે આરોપીની ખરાઈ કરી છે. સીસીટીવીમાં તે દારૂ પીને લથડિયા ખાતા બહાર નીકળતો દેખાયો હતો. એટલું જ નહિ, આ આરોપીને કોઈ શરમ ન હતી. અકસ્માતમાં ડેમેજ થયેલી કારને ગેરેજમાં રીપેરિંગ માટે આપી આરોપી ઉદેપુર જતો રહ્યો હતો. આરોપીના પોતાના નામે વૈભવી કાર નોંધાયેલી છે. તે મેડિકલ ઈકવીપમેન્ટ બનવવાનો બિઝનેસ કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...