Wednesday, March 11, 2026

SG હાઈવે પર બે સાયક્લિસ્ટ તબીબને ટક્કર મારીને ભાગી જનારો પકડાયો

spot_img
Share

અમદાવાદ : તાજેતરમાં સોલા બ્રિજ પર સાયક્લિસ્ટોની રેલીમાં બે સાયકલ સવારોને ટક્કર મારીને અકસ્માત સર્જવાની ઘટનામાં અદમવાદા પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. સમગ્ર ઘટના બાદ એક અઠવાડિયાથી આરોપીને શોધવાની પોલીસની મહેનત રંગ લાવી છે. પોલીસે ફરાર કાર ચાલક 29 વર્ષીય યુવકની આખરે ધરપકડ કરી લીધી છે. છારોડી ખાતે રહેતા પરમ ઉદયકુમાર વોરાની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, તારીખ 23 નવેમ્બરના રોજ અમદાવાદ ગુજરાત હાઇકોર્ટ પાસે આવેલા ફ્લાયઓવર ઉપર તાજેતરમાં એક કારચાલકે વહેલી સવારે સાઇક્લિંગ માટે નીકળેલાં લોકોને અડફેટે લીધાં હતાં, જેમાં ડોક્ટર પણ સામેલ હતાં. ત્યારે લોકોમાં હવે જાગૃતિ લાવવા વિવિધ સાઇક્લિંગ ગ્રુપ દ્વારા અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સવારે 6.30 કલાકે ગોટીલા ગાર્ડનથી નીકળી હતી, જે વૈષ્ણોદેવી સર્કલથી યુ ટર્ન મારીને પકવાન ચાર રસ્તા પાસે સમાપ્ત થઈ હતી.આ રેલીમાં 200 કરતાં પણ વધુ અલગ અલગ ગ્રુપના સાઇક્લિસ્ટ્સ જોડાયા હતા. આ દરમિયાન સાઇક્લિસ્ટ સ્લોગન અને બેનર સાથે લોકોને જાગ્રત કરવા પ્રયત્ન કર્યો હતો.જેમાં સાયકલિંગ કરતા તબીબ મિત્રોને એક એસયુવી કારે જોરદાર ટક્કર મારી હતી, અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ ટક્કરમાં બે સાયકલ સવાર ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે અમદાવાદ પોલીસ અકસ્માત બાદથી કારચાલકની શોધ કરી રહી હતી, આખરે પોલીસને સફળતા મળી.

ટેક્નિકલ સર્વેલન્સ અને 100 થી વધુ CCTV ફુટેજની ઝીણવટભરી તપાસ બાદ અકસ્માત કરનાર યુવક ઝડપાયો છે. પોલીસ તપાસમાં યુવક નશો કરેલી હાલતમાં હોવાનું સામે આવ્યું છે. બનાવ પહેલા પરમ અને તેના અન્ય મિત્રોએ વસ્ત્રાપુરની સોસાયટીમાં દારૂની પાર્ટી કરી હતી. વહેલી સવારે તમામ મિત્રો સોસાયટીમાંથી નીકળતા CCTV માં નજરે પડ્યા હતા.

અકસ્માત કરનાર ગાડીના અધૂરા નંબર, મોબાઈલ લોકેશન અને CCTV ફૂટેજના આધારે પોલીસે આરોપીની ખરાઈ કરી છે. સીસીટીવીમાં તે દારૂ પીને લથડિયા ખાતા બહાર નીકળતો દેખાયો હતો. એટલું જ નહિ, આ આરોપીને કોઈ શરમ ન હતી. અકસ્માતમાં ડેમેજ થયેલી કારને ગેરેજમાં રીપેરિંગ માટે આપી આરોપી ઉદેપુર જતો રહ્યો હતો. આરોપીના પોતાના નામે વૈભવી કાર નોંધાયેલી છે. તે મેડિકલ ઈકવીપમેન્ટ બનવવાનો બિઝનેસ કરે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...