Tuesday, January 20, 2026

ઉત્તરાયણ પહેલા અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું, લાઉડ સ્પીકરથી લઈ આવા પતંગ પર પ્રતિબંધ

spot_img
Share

અમદાવાદ : દિવાળીના તહેવારો બાદ ગુજરાતીઓ જો કોઈ તહેવારની આતુરતાથી રાહ જોતાં હોય તો તે છે ઉત્તરાયણનો તહેવાર. જોકે ઉત્તરાયણના તહેવાર પહેલા અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યુ છે. જો તમે આ જાહેરનામાનો ભંગ કરશો તો તમારે ઉત્તરાયણના દિવસે પણ પોલીસ સ્ટેશન જવાનો વારો આવી શકે છે. પોલીસ કમિશ્નર દ્વારા ચાઈનીઝ દોરી, તુક્કલ વેચવા પર તેમજ ઉડાવવા પર પ્રતિબંધ મુક્યો છે. આ સાથે ધાબા પર લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ લગાવાયો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસ કમિશ્નરએ ઉત્તરાયણ પર્વને લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. શહેરમાં જાહેર માર્ગો, રસ્તાઓ કે મકાનના ધાબા પર ભયજનક રીતે પતંગ ઉડાડવાને લઈને આ જાહેરનામું બહાર પાડ્યું છે. સાથો સાથ લાઉડ સ્પીકર વગાડતા પર પ્રતિબંધ મૂક્યો છે. કોઈ વ્યક્તિ સમાજ કે, ધર્મ પર લાગણી દુભાય તે રીતે પતંગ ઉપર ઉશ્કેરણીજનક લખાણો લખી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે. કપાયેલા પતંગો અને દોરાઓ જાહેર રસ્તાઓ પર પકડવા જતા લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. સાથો સાથ ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નના ઉત્પાદન, વેચાણ અને ઉડાડવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

તમને જણાવી દઈએ કે સુરતમાં ઉતરાયણ પહેલા ચાઈનીઝ દોરીનો આતંક સામે આવ્યો હતો. પ્રતિબંધ પતંગની ચાઈનીઝ દોરીના કારણે સુરત ઓવરબ્રિજ પરથી પસાર થતાં એકાઉન્ટન્ટનું ગળુ કપાયું હતુ. ગળાના ભાગથી મગજમાં જતી ત્રણ નસ ચાઈનીઝ દોરીથી કપાઈ જતા ભોગ બનનાર સમર્થ નાવડિયાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...