Tuesday, May 5, 2026

અમદાવાદમાં વધુ એક હોસ્પિટલ વિવાદમાં, સ્ટેન્ડ મૂક્યા બાદ દર્દીનું મોત, પરિવારજનોએ લગાવ્યા ગંભીર આરોપ

spot_img
Share

અમદાવાદ : એક તરફ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ હજુ શાંત થયો નથી ત્યાં બીજી હોસ્પિટલ વિવાદમાં આવી ગઈ છે. શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી કાકડીયા હોસ્પિટલમાં એક દર્દીને હૃદયમાં સ્ટેન્ટ મુક્યા બાદ તેનું મોત થયુ છે. મૃતક દર્દીના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીથી મોત થયા હોવાનો આરોપ લગાવીને હોબાળો કર્યો હતો, સાથે મૃતદેહનો પણ અસ્વીકાર કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા પરમાર અરવિંદભાઈ નામની વ્યક્તિને ગત રાત્રે દુખાવો ઉપડતાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સવારે એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂક્યા બાદ તેમની તબિયત વધારે બગડી હતી અને તેઓનું મોત થતા પરિવારજનોનોએ હોસ્પટલમાં હોબાળો મચાવ્યો હતો. ફરિયાદ બાદ શહેર કોટડા પોલીસે તપાસ હાથ ધરી છે.

ભાજપના નેતા પૂર્વ મંત્રી એવા વલ્લભ કાકડીયાની હોસ્પિટલના ડોક્ટરોએ હજી દર્દીનું મા કાર્ડ આવ્યું ને તરત જ નળી બ્લોક હોવાનું કહી ઓપરેશન કરીનાખ્યું હતું. PMJAY કાર્ડમાંથી એપ્રુવલ આવ્યા પહેલા ઓપરેશન કરી દેવામાં આવ્યું હતું. જો સારવારનો ખર્ચ મોટો થાય તો પરિવારજનો પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હોત તેને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના- PMJAY અંતર્ગત દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે જ્યાં સુધી તેઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ દર્દીની લાશને સ્વીકારશે નહીં તેમ જણાવ્યું છે. પરિવારજનો દ્વારા હંગામો કરવામાં આવતા શહેરકોટડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...