Tuesday, January 13, 2026

અમદાવાદમાં આ વર્ષે ફ્લાવર શૉમાં થશે અધધ કરોડનો ખર્ચ, જાણો વિગત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીમાં યોજાતા ફ્લાવર શૉને નિહાળવા દર વર્ષે મોટી સંખ્યામાં નગરજનો ઉમટતાં હોય છે. આ વખતે ફ્લાવર શૉમાં વિવિધ સ્કલ્પચર માટે રૂપિયા 15 કરોડનો ખર્ચ કરવામાં આવશે. ગત વર્ષે સમગ્ર ફ્લવાર શૉ દરમિયાન રૂપિયા 11 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, દર વર્ષે ડિસેમ્બરના અંત અથવા જાન્યુઆરીમાંમાં સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ ડિસેમ્બરના અંતમાં ફ્લાવર શો કરવામાં આવશે, દર વર્ષે 10થી 12 કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ, આ વર્ષના ફ્લાવર શૉનો ખર્ચ 5 થી 6 કરોડ વધી જશે. આ વર્ષે વિવિધ સ્કલ્પચર બનાવવા માટે જ 10 કરોડ રૂપિયા ખર્ચ થઈ જશે. આ બધાની વચ્ચે ફ્લાવર શૉ કઈ તારીખથી શરૂ થશે તેને લઈ તંત્ર દ્વારા તારીખ નથી જાહેર કરવામાં આવી. પરંતુ આ વખતે ઓછામાં ઓછો 15 કરોડ રૂપિયાનો ખર્ચ થશે તેમ માનવામાં આવી રહ્યું છે.

આ વર્ષે એન્ટ્રેન્સ એલિફન્ટ, હલ્ક, ડોરેમાન, સ્પોન્જ બોબ, કુંગફૂં પાન્ડા, ફાઈટિંગ બહુલ, સિંહ-વાઘ, મેરમેઇડ હોર્નબીલ, ગાંધીજીના 3 વાંદરા, ઓલ્મિપિક રિંગ, એક પેડ માં કે નામ, એન્ટ્રેન્સ વોલ, કેનયોન વોલ જેવા વિવિધ સ્ક્લ્પચર જોવા મળશે.

ગત વર્ષે અમદાવાદના 11માં ફ્લાવર શૉને લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રકચર માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન પ્રાપ્ત થયું હતું. આ પહેલા વર્ષ 2014માં ચાઇનાના નામે 166 મીટરનો રેકોર્ડ હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત 221 મીટર ફ્લાવર સ્ટ્ર્ક્ચર બનાવી ચાઇનાનો રેકોર્ડ તોડ્યો હતો. ગત વર્ષે 12 વર્ષથી નાના બાળકો માટે એન્ટ્રી ફ્રી હતી. જ્યારે 12 વર્ષથી ઉપરના લોકો માટે 50 રૂપિયા ફી રાખવામાં આવી હતી. ફ્લાવર શૉમાં રાત્રે પણ મુલાકાતીઓનો ધસારો રહેતો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....